- 7 દિવસમાં 50 હજાર લોકોને હટાવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ
ઉત્તરાખંડમાં રેલવેની જમીનમાંથી 4 હજાર પરિવારોને બહાર કાઢવાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે ઘણા લોકો ત્યાં લાંબા સમયથી રહે છે. તેમનું પુનર્વસન જરૂરી છે. 7 દિવસમાં 50 હજાર લોકોને ત્યાંથી હટાવી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. જેમાં રેલવેની 29 એકર જમીન પર ગેરકાયદે કબજો તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાંથી 4 હજારથી વધુ પરિવારો રહે છે. કોર્ટે કહ્યું કે હવે તે જમીન પર કોઈ બાંધકામ અને વિકાસ થશે નહીં. અમે આ સમગ્ર પ્રક્રિયા રોકી નથી. હાઈકોર્ટના આદેશ પર જ સ્ટે. આ કેસની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે.