Home Devotional ઉત્તરાખંડમાં દુર્યોધન અને કર્ણનું મંદિર મિત્રતાનું પ્રતિક….

ઉત્તરાખંડમાં દુર્યોધન અને કર્ણનું મંદિર મિત્રતાનું પ્રતિક….

0

Published By: Aarti Machhi

મહાભારતની કથા અંગે દરેક લોકો જાણે જ છે. એમાં પણ મહાભારતના પાત્ર દુર્યોધનની ભૂમિકા એક વિલન જેવી હતી. મામા શકુનીની સલાહ લેતા દુર્યોધનના કારણે જ મહાભારતનું યુદ્ધ થયું હતું. જો કે અચરજ પમાડે એવી વાત તો એ છે લોકો માટે ઘૃણાનું પાત્ર ગણાતા દુર્યોધનનું મંદિર આવેલું છે.

ઉત્તરાખંડ રાજ્યના નેતવાર ગામમાં દુર્યોધનના મંદિરમાં લોકો સવાર સાંજ પૂજા પણ કરે છે. તો આ ગામના લોકો એમ માને છે કે દુર્યોધન પોતે જ્ઞાાની અને વીર પુરુષ હતો. મામા શકુનીના કારણે તે ધર્મને ભૂલી ગયો હતો. ધર્મ અંગે સમજ હતી પરંતુ તે આચરણ કરી શકયો નહી. જે પગલે ગામમાં દુર્યોધનનું મંદિર છે. દુર્યોધનનું મંદિર અતિ પૌરાણિક માનવામાં આવે છે. તો આ સિવાય બહારના લોકો દુર્યોધનના મંદિર અંગે જાણે ત્યારે તેઓ કુતુહલથી જોવા માટે આવે છે. ગામના લોકોને આ મંદિર માટે શ્રધ્ધા રહેલી છે.

તો ઉત્તરાખંડમાં કર્ણ મંદિર પણ આવ્યું છે. નેતવારથી દોઢ માઇલ દૂર સરટૌલ ગામમાં કર્ણમંદિર આવ્યું છે. પૌરાણીક કથા અનુસાર પાતાળલોકના રાજા ભુબ્રુહાહન કૌરવો અને પાંડવો વચ્ચેના મહાભારત યુદ્ધનો ભાગ બનવા માંગતો હતો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ ચાલાકીપૂર્વક તેને યુદ્ધથી દૂર કરી દીધો. યુદ્ધ શરૂ થતાં પહેલાં ભુબ્રુહાહનનું શિરચ્છેદ કર્યું હતું, પરંતુ ભુબ્રુહાહનની યુદ્ધ જોવાની ઇચ્છાને પગલે એક ઝાડ પર ભુબ્રુવાહનનું માથું લટકાવ્યું અને તેમણે અહીંથી મહાભારતની આખી લડાઇ જોઇ. દુર્યોધન અને કર્ણ બંને ભુબ્રુહાહનના મોટા ચાહકો હતા. અહીંના સ્થાનિકો દ્વારા ભુબ્રુહાવાના મિત્રો, કર્ણ અને દુર્યોધનનાં મંદિરો બનાવ્યાં છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version