Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarએક એવું સ્થાન જ્યા નર્મદે હર બોલતા જ પાણી પણ બોલી ઉઠે...

એક એવું સ્થાન જ્યા નર્મદે હર બોલતા જ પાણી પણ બોલી ઉઠે છે

  • અંકલેશ્વરનું બાલબલા કુંડ જ્યા નર્મદામૈયાના જયઘોષ સાથે જ કુંડના પાણીમાં પરપોટારૂપી શબ્દ સૂરાવલી જોવા મળે છે

નર્મદા પરિક્રમાવાસીઓ સતત માં નર્મદા તેઓની સાથેજ છે તેની અનુભૂતિ કરતા હોય છે આવી જ અનુભૂતિ કરાવતું એક તીર્થ સ્થાન એટલે અંકલેશ્વરનું બલબલા કુંડ. જ્યા નર્મદે હરના જયઘોષ કરતાની સાથે જ કુંડનું પાણી પણ પરપોટા રૂપે ઉછળી આ જયઘોષમાં પોતાનો સૂર પુરાવે છે.

જેના દર્શન માત્રથી પાપો નષ્ટ થાય છે એવી પાવન સલીલા માં નર્મદા તેના ભક્તોને ડગલે ને પગલે પોતાના હોવાનો અહેસાસ કરાવે છે. વિશ્વની આ એકમાત્ર નદી છે જેની પરિક્રમા કરાય છે. અને પરિક્રમાવાસીઓ સતત માં નર્મદા તેઓની સાથેજ છે તેની અનુભૂતિ કરતા હોયછે આવી જ અનુભૂતિ કરાવતું એક તીર્થ સ્થાન એટલે અંકલેશ્વનું બલબલા કુંડ. અંકલેશ્વરથી 10 કિલોમીટર દૂર ભરૂડી ગામમાં ભરુડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ભરુડેશ્વર મહાદેવ આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે પૂજવામા આવે છે.અંકલેશ્વર એ માંડવ્ય ઋષિ, માર્કંડ ઋષિ, કશ્યપ ઋષિ સહીત અનેક ઋષિ મુનિઓની તપોભૂમિ રહી છે.

કશ્યપ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઇ માં નર્મદાએ બલબલા સ્વરૂપમાં દર્શન આપ્યા

સપ્ત ઋષિઓના પહેલા ઋષિ એવા કશ્યપઋષિની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી આ શિવમંદિર છે. કશ્યપ ગોત્રની શરૂઆત જે સ્થળેથી થઇ હતી એ સ્થળ એટલે ભરુડેશ્વર મહાદેવ મંદિર ધનવંતરી ક્ષેત્રે કશ્યપ ઋષિનું આશ્રમ આવેલું છે. અંકલેશ્વરના માટીએડ ગામ ખાતે કશ્યપ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી વૈદ્ય વિદ્યા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સ્થળ સ્થિત વૈદ્યનાથ મહાદેવની સ્થાપના તેઓ દ્વારા કરાઈ હતી. કશ્યપ આશ્રમ ખાતે ભગવાન શિવના ભરુડેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. કશ્યપ ઋષિએ આશ્રમથી 50 મીટરના અંતરે માં નર્મદા નદીની આરાધના કરી હતી. ઋષિ કશ્યપની તપસ્યાથી પ્રસન્ન થઈ માં નર્મદા રત્નાસાગર સાથે બલબલા રૂપમાં પ્રગટ થયા હતા. માટે જ નર્મદા પરિક્રમાવાસીઓ અહીં બલબલા કુંડના દર્શન અર્થે આવે છે. તેઓ સ્નાન, તર્પણ સહિત પિંડદાન કરે છે. બલબલા કુંડમાંથી નીકળતા પાણીના પરપોટા આજે પણ લોકો માટે વણ ઉકેલ્યો કોયડો છે. નર્મદે હર બોલવાથી અહીં નર્મદા માતા બુલબુલા સ્વરૂપમાં આશીર્વાદ આપે છે તેવી પુરાણોમાં માન્યતા રહેલી છે.

નર્મદા પરિક્રમાવાસીઓ માટે અહીં રહેવા, જમવા સહિતની નિઃશુલ્ક સેવા

આશ્રમના મહંત રાજ રાજેશ્વર ગીરીજી મહારાજએ જણાવ્યું હતું કે તેઓ સાતમી પેઢીના પદ પર અહીં બિરાજમાન છે. કશ્યપ ગોત્રની શરૂઆત આ ક્ષેત્રમાં થઇ હતી અને આદિગુરુ શંકરાચાર્ય પ્રેરિત આ સ્થળનું પુરાણોમાં અનેરું મહત્વ રહેલુ છે. ભગવાન ભરુડેશ્વર નીલકંઠ મહાદેવ તરીકે સહ પરિવાર આ સ્થળે બિરાજમાન છે. નારાયણ બલી,પિંડદાન જેવી વિધિ પણ કરવાનું અહીં મહત્વ છે. સ્કંદ પુરાણના રેવા ખંડમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં રોજ એક હજારથી વધુ નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે. આશ્રમ સ્થિત રહેવા, જમવા સહિતની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!