Published by : Anu Shukla
દેશમા પથરીની બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઈ રહ્યો છે. ત્યારે એક મહિલાના મૂત્રાશય માંથી 1200 પથરી ઓપરેશન કરી કાઢવામા આવી હતી.
ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં ૫૫ વર્ષીય અને ડાયાબિટીસ જેવા રોગથી પીડાતી મહિલાના મૂત્રાશયમાંથી એક હજારથી આશરે 1200 જેટલી પથરી કાઢવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર આ મહિલા દુર્લભ ક્રોનિક બીમારીમાંથી પસાર થઈ રહી હતી. આ એક કિડનીનો રોગ છે. જેમાં કિડનીમાં સોજા, ભૂખ ઓછી લાગવી, ઊલટી-ઊબકા થવા, થાક લાગવો, નાની ઉંમરે લોહીનું દબાણ ખૂબ ઊંચું રહેવુ વગેરે જેવા રોગ જોવા મળે છે અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ રોગ જોવા મળે છે. હાલમા દેશમા પથરીની બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે તબીબો પથરીની બીમારીથી બચવા વધુ પાણી પીવાની સલાહ આપી રહયાં છે.