Published by : Rana Kajal
હિમાચલ પ્રદેશને દેવી દેવતાઓની ભૂમિ કહેવાય છે. હિમાચલ પ્રદેશમાં કાંગડામાં મસરુર મંદિર આવેલ છે. કાંગડા ઘાટીમાં બ્યાસ નદી નજીક એક શિલાને કાપીને કુલ 19 મંદિર બનાવ્યા છે. કહેવાય છે કે, પાંડવોએ અહીં મંદિર બનાવ્યા હતા. તેને અજંતા ઈલોરા ઓફ હિમાચલ કહેવાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 1905માં આવેલા ભૂકંપમાં અમુક મંદિર ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા, પણ હજુ પણ અમુક મંદિર અહીં ઊભેલા છે. અહીં મોટા પિલ્લર અને મૂર્તિઓ હાલમાં પણ છે. માનવામાં આવે છે કે મુખ્ય મંદિર શિવ મંદિર હતું, પણ હવે અહીં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતાની મૂર્તિઓ સ્થાપિત કરી છે.

પૌરાણિક કથા અનુસાર, મહાભારતમાં પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો અને મંદિર બનાવ્યા હતા. સ્વર્ગ આગમન દરમિયાન પાંડવો આ જ રસ્તે ગયા હતા. કહેવાય છે કે, મંદિરનો એક અધૂરો ભાગ છે. સાથે જ અહીં સીડીઓ પણ આવેલી છે. ભારતીય પુરાત્તત્વ વિભાગે આ મંદિરને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી છે.

કાંગડાથી મસરુર ટેમ્પલનું અંતર 40 કિમી છે. વર્ષ 1913માં એક અંગ્રેજે આ મંદિરને સૌથી પહેલા જોયું હતું. મંદિરને આઠ મુ્ખ્ય દ્વાર છે. મંદિરની સામે એક ઝરણું પણ આવેલ છે અને સાથે જ અહીં એક સરકારી સ્કૂલ પણ આવેલી છે. મસરુર રોક ટેમ્પલને જોવા માટે દેશ વિદેશમાંથી લોકો અહીં આવે છે.
