Home News Update Nation Update એવો પતિ શોધો જે ઘર કામ કરી શકે’, CJI ચંદ્રચુડે જણાવ્યો કિસ્સો…

એવો પતિ શોધો જે ઘર કામ કરી શકે’, CJI ચંદ્રચુડે જણાવ્યો કિસ્સો…

0

Published By:-Bhavika Sasiya

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ તેમના વિચારો માટે જાણીતા તેમજ સીધી અને સ્પષ્ટ વાત કહેવા માટે ખુબ જાણીતા છે તેઓ અવારનવાર પોતાની વાતો દ્વારા સમાજને બદલાવના સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. CJIએ તેમની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરી અને તેમના દ્વારા મહિલા વકીલો અને ન્યાયાધીશોના સામાજિક જીવન વિશે વાત કરી. બેંગલુરુમાં નેશનલ લો સ્કૂલમાં 31મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે તેઓ મહિલાઓને કેવી રીતે મદદ કરે છે.ચીફ જસ્ટિસે કહ્યું કે તેમની સ્વર્ગસ્થ પત્ની નોકરી માટે એક લૉ ફર્મમાં ગઈ હતી. ઇન્ટરવ્યુ આપ્યો અને જ્યારે તેઓએ પૂછ્યું કે કામનો સમય શું હશે? તો લો ફર્મએ જવાબ આપ્યો કે 24×7 અને 365 દિવસ. તેના પર CJIની દિવંગત પત્નીએ પૂછ્યું કે પારિવારિક મહિલાઓનું શું થશે? લો ફર્મએ તેણીને પોતાના માટે એક એવા પતિની શોધ કરવાનું સૂચન કર્યું જે ઘરકામ કરે. ચીફ જસ્ટિસે કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને આ બદલાવમાં તેમણે સહયોગ પણ આપ્યો છે.CJI ચંદ્રચુડે વધુમાં જણાવ્યું કે તેઓ ઘણી વખત તેમની મહિલા ક્લાર્કને ઘરેથી કામ કરવા દે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ગયા વર્ષે પાંચમાંથી ચાર ક્લાર્ક મહિલા હતા. તે ખૂબ જ સામાન્ય છે કે તેઓ અમને કહી શકે છે કે તેઓ પીરિયડ્સમાંથી પસાર થઈ રહ્યાં છે અને તેઓ વારંવાર તેમને ઘરેથી કામ કરવા દે છે. તેમણે કહ્યું કે, સેનેટરી નેપકીનને સુપ્રીમ કોર્ટમાં મહિલાઓના વોશરૂમમાં પહેલાથી જ રાખવામાં આવ્યા છે જેથી જરૂરિયાતમંદ તેનો ઉપયોગ કરી શકે CJIએ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે સારા વકીલ બનતા પહેલા સારા માણસ બનવું જરૂરી છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે કાનૂની વ્યવસાયમાં લોકો તેમની નોકરી સાથે સંકળાયેલા લાંબા કલાકો પર ગર્વ અનુભવે છે. આ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version