Published by : Rana Kajal
- દેશમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રોમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના બે કેન્દ્રોનો સમાવેશ
- આદિવાસી અને ઔદ્યોગિક ઉત્પાદનના સેમ્પલ પોસ્ટ મારફતે વિદેશ પહોંચતા થશે
ઔદ્યોગિક શહેર અંકલેશ્વર અને આદિવાસી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક્સપોર્ટસને સુવિધા પ્રદાન કરવા ડાક નિર્યાત કેન્દ્રની શરૂઆત કરાઈ છે.
ઔદ્યોગિક ભરૂચ અને આદિવાસી નર્મદા જિલ્લામાંથી અલગ અલગ પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે. વિદેશમાં રહેલી પાર્ટી કોઈપણ વસ્તુની ખરીદી કરતા પહેલા સેમ્પલ મગાવતી હોય છે.

હવે ભરૂચ અને નર્મદાના ઉદ્યોગકારો અને એકસપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમની પ્રોડક્ટનું સેમ્પલ પાર્સલ વિદેશ મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર GIDC પોસ્ટ ઓફિસ અને રાજપીપળા મુખ્ય પોસ્ટ કચેરીમાં બુધવારથી ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ કરવામા આવી છે.
PM નરેન્દ્ર મોદીની દુરંદેશી મુજબ ભારતના દરેક જિલ્લો એક્સપોર્ટ હબ બને અને દેશની નિકાસ વધે. નિકાસ કરનાર ઉદ્યોગ ગૃહને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રો સારું કરવામાં આવનાર છે.

આજરોજ ભરૂચ પોસ્ટલ ડિવિઝન અંતર્ગત આવતા 2 જિલ્લા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે ડાક નિર્યાત કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. બંને જિલ્લાના એક્સપોર્ટર માટે આ ખુશીના સમાચાર છે. કારણ કે આપણા જિલ્લામાં ડાક નિર્યાત કેન્દ્ર શરુ થવાથી જિલ્લાના એક્સપોર્ટરો મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
ડાક નિર્યાત કેન્દ્રો દ્વારા ફેસલેસ કસ્ટમ ક્લિયરિંગની શરૂઆત થઇ ગયી છે. જેથી એક્સપોર્ટરોને એજન્ટોને આપવાની ફી તેમજ કસ્ટમ ઓફિસ સુધી માલનું ટ્રાન્સપોર્ટેશન જેવા કામો માંથી મુક્તિ મળશે. તેના દ્વારા સમય અને પૈસાનો બચાવ થશે.

ડાક નિરાયત કેન્દ્રોનો શુભારંભ ભરૂચ પોસ્ટલ વિભાગના વડા એસવી.પરમાર, અમદાવાદ સર્કલ ઓફિસથી અલ્પેશ શાહ તેમજવડોદરાથી અભિષેક દુબેની ઉપસ્થિતિમાં કરાયો હતો.
બન્ને જિલ્લાના નિકાસકારોIજાતે જ બુકિંગ કરાવી શકશે
આ નવી સર્વિસ એક્સપોર્ટનો બિઝનેસ કરતા ધંધાર્થીઓ તેમના કોમર્શિયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ પોતે જ બુકિંગ કરી શકે છે આ પાર્સલ સર્વિસ વિશ્વના 213 દેશો સાથે જોડાયેલી છે.