ફિફા વર્લ્ડ કપ (FIFA WC 2022)વચ્ચે કતારમાં કેમલ ફ્લૂનો ખતરો વધી ગયો છે. દર્શકોમાં રોગચાળો ફેલાવાનો ભય છે. ફિફા વર્લ્ડ કપમાં તેની અસર પડી શકે છે. જો આમ થશે તો કતારને મોટું નુકસાન થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, ફિફા વર્લ્ડ કપ દરમિયાન કતારમાં પણ કેમલ ફ્લૂ ફેલાઈ શકે છે. આ રોગ કોરોનાવાયરસ અને મંકીપોક્સ જેવા ગંભીર રોગો જેટલો ખતરનાક છે. ફિફા વર્લ્ડ કપના કારણે દુનિયાભરમાંથી ફૂટબોલ ચાહકો આ દેશમાં આવ્યા છે અને આ ચાહકોમાં કેમલ ફ્લૂ ફેલાઈ જવાનો ભય છે. તેનાથી ચેપી રોગનું જોખમ વધી શકે છે. ચાહકો, સ્થાનિકો તેમજ ખેલાડીઓ પણ કેમલ ફ્લૂની પકડમાં આવી શકે છે.
અંદાજે 1.2 મિલિયન લોકો વર્લ્ડ કપ જોવા માટે કતાર પહોંચ્યા
કેમલ ફ્લૂ સિવાય અનેક બિમારીઓ ચાહકોમાં ફેલાય શકે છે. કતારમાં ક્યુટેનીયસ લીશમેનિયાસિસ, મેલેરિયા, ડેન્ગ્યુ, હડકવા, ઓરી, હેપેટાઇટિસ A અને B જેવા વેક્ટર-જન્ય રોગો ફેલાવવાનું જોખમ રહેલું છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક એવા વાયરસની ઓળખ કરી છે જે આવનારા સમયમાં રોગચાળાનું કારણ બની શકે છે.દુનિયાભરમાં અંદાજે 1.2 મિલિયન લોકો વર્લ્ડ કપ જોવા માટે કતાર પહોંચ્યા છે. ફિફા વર્લ્ડ કપ કોરોના મહામારીની અસર ઓછી થયા બાદ સૌથી મોટું આંતરરાષ્ટ્રીય આયોજનમાંથી એક છે. જેનાથી ખાડી દેશની 2.8 મિલિયન વસ્તીમાં 1.2 મિલિયન વધુ લોકો જાડાઈ રહ્યા છે. MERS ચેપના મોટાભાગના કેસોમાં, ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ જેવા હળવા લક્ષણો હોય છે. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોને ગંભીર ચેપ લાગી શકે છે.