Home Bharuch કરજણથી પાલેજ જવાના માર્ગ પર વાહનમાંથી કેમિકલ લીક થતા અફરાતફરી…

કરજણથી પાલેજ જવાના માર્ગ પર વાહનમાંથી કેમિકલ લીક થતા અફરાતફરી…

0

Published by : Rana Kajal

ભરૂચ જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર કરજણથી પાલેજ વચ્ચે આવેલા કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે એક ટેન્કરમાંથી મોલ્ડેડ સલ્ફર લીક થતા અફરાતફરીનું વાતવરણ છવાઈ ગયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર લોડીંગ ટેન્કર જેમાં મટીરીયલ મોલ્ડેડ સલ્ફર કેમિકલ ભરેલ હતું. ટેન્કરના ઉપરના ભાગેથી લીક થતા ટેન્કર ઉપર ધુમાડા દેખાવા માંડ્યા હતા. ટેન્કરના ચાલકે કરજણ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચીને ટેન્કર ઉપર પાણીનો છંટકાવ કરી કેમિકલ ડાયલ્યુટ કર્યું હતું. ત્યારબાદ ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી કરી હતી. ટેન્કર માથી ધુમાડા નીકળતા બંધ થતાં લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version