કરજણ રેલવે સ્ટેશન અને કાશીપુરા વચ્ચે સોમવારે એન્જીનીયરીંગ બ્લોક હોવાના કારણે 3 ટ્રેન રદ કરવામાં આવી છે જયારે એક ટ્રેન અંદાજિત 1 કલાકથી વધુ પડશે
રેલવે વિભાગ દ્વારા સોમવારે કરજણ અને કાશીપુરા રેલવે સ્ટેશન વચ્ચે એન્જીનીયરીગ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન નંબર 09161 વલસાડ વડોદરા પેસેન્જર સ્પેશિયલ ભરૂચ – વડોદરા વચ્ચે રદ કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર પણ રદ કરવામાં આવી છે. તો ટ્રેન નંબર 22953 – મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ સુરત અને અમદાવાદ વચ્ચે રદ .રહેશે. બ્લોકના કારણે ટ્રેન નંબર 12656 નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 1 કલાક 5 મિનિટ મોડી દોડશે.