Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateકર્ણાટકના મંદિરોમાં હવે સલામ નહીં, સંધ્યા આરતી થશે...

કર્ણાટકના મંદિરોમાં હવે સલામ નહીં, સંધ્યા આરતી થશે…

Published by : Rana Kajal

  • ટીપુ સુલતાનનું આપેલું 300 વર્ષ જૂનું નામ બદલવામાં આવ્યું…
  • હિન્દુ સંગઠનોની માંગ પર નિર્ણય લેવાયો…

દેશના કર્ણાટક રાજ્યમાં કેટલાક મંદિરોમાં થતી સલામ આરતીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે સંધ્યા આરતી તરીકે ઓળખાશે. આ નિર્ણય હિન્દુત્વ સંગઠનોની માંગ પર લેવામાં આવ્યો છે. આ સંગઠનોએ રાજ્ય સરકાર પાસે ટીપુ સુલતાનના નામે કરવામાં આવતી ધાર્મિક વિધિઓને નાબૂદ કરવાની માંગ કરી હતી, જેમાં સલામ આરતીનો પણ સમાવેશ થતો હતો. હિંદુ મંદિરોની દેખરેખ રાખતી સ્ટેટ ઓથોરિટી મુઝરાઈએ છ મહિના જૂના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. માનવામાં આવે છે કે 18મી સદીમાં મૈસૂરના શાસક ટીપુએ આ મંદિરોની મુલાકાત દરમિયાન આરતીનું નામ રાખવામાં આવ્યું હતું. વધુ  વિગતે જોતા કર્ણાટકના મેલકોટમાં ઐતિહાસિક ચાલુ નારાયણ સ્વામી મંદિર છે. જ્યાં હૈદરઅલી અને તેમના પુત્ર ટીપુ સુલતાનના શાસનકાળથી દરરોજ સાંજે 7 વાગ્યે સલામ આરતી (મશાલ સલામી) થઈ રહી છે.

કર્ણાટક ધાર્મિક પરિષદના સભ્ય કશેકોડી સૂર્યનારાયણ ભટ્ટે તેનું નામ બદલવાની માંગ કરી હતી. ભટ્ટે કહ્યુ હતુ કે સલામ શબ્દ ટીપુએ આપ્યો હતો, જે અમારા નથી. જેથી માંડ્યા જિલ્લા વહીવટીતંત્રએ આ પ્રસ્તાવને હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (મુઝરાઈ)ને સુપરત કર્યો હતો. વધુમાં ભટ્ટના જણાવ્યા મુજબ સલામ આરતી કુક્કે શ્રી સુબ્રહ્મણ્યમ મંદિર, પુત્તુરમાં શ્રી મહાલિંગેશ્વર મંદિર, કોલ્લુરમાં મુકામ્બિકા મંદિર અને કેટલાક અન્ય જાણીતા મંદિરોમાં થાય છે. હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (મુઝરાઈ) સીએમ બસવરાજ બોમાઈની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યુ છે. આ પગલા બાદ ટૂંક સમયમાં જ એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે જેના પછી માત્ર મેલકોટમાં જ નહીં પરંતુ કર્ણાટકના તમામ મંદિરોમાં આરતીની સેવાઓનું નામ બદલવામાં આવશે. મુઝરાઈના મંત્રી શશિકલા જોલેએ જણાવ્યું હતું કે, “આ ફારસી નામોને બદલવાની અને મંગળા આરતી નમસ્કાર અથવા આરતી નમસ્કાર જેવા પરંપરાગત સંસ્કૃત નામોને જાળવી રાખવાનો પ્રસ્તાવ અને માંગણીઓ હતી. ઈતિહાસ પર નજર કરીએ તો, અમે પહેલા જે પ્રચલિત હતું તે પાછું લાવ્યા છીએ.”અગાઉ વિશ્વ હિંદુ પરિષદે કોલ્લુર મંદિરના સત્તાવાળાઓને સુધારા માટે જવા અને ધાર્મિક વિધિને “પ્રદોષ પૂજા” કહેવા વિનંતી કરી હતી. જો કે, મંદિરના વહીવટી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે મંદિરના રેકોર્ડમાં ક્યાંય પણ સાંજની આરતીનું નામ “સલામ મંગલાર્થી” નથી.                 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!