Friday, July 25, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateકર્ણાટક ચૂંટણી :PM મોદીની ખાસ સૂચના કાર્યકર્તાને જો બૂથ જીતશો તો જ...

કર્ણાટક ચૂંટણી :PM મોદીની ખાસ સૂચના કાર્યકર્તાને જો બૂથ જીતશો તો જ ચૂંટણી જીતશો..

Published by : Vanshika Gor

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને મંત્ર આપ્યો કે, જો તેઓ બૂથ જીતશે તો જ તેઓ ચૂંટણી જીતશે. પીએમએ કહ્યું કે, એક શિસ્તબદ્ધ કાર્યકર હોવાને કારણે હું તમારા બધા કાર્યકરો અને જનતાની મુલાકાત લેવા પણ આવું છું. રાજ્યમાં પ્રચાર કરી રહેલા ભાજપના નેતાઓ જણાવે છે કે પ્રચાર દરમિયાન તેમને લોકો તરફથી કેટલો પ્રેમ મળે છે. આ લોકોનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.

વડાપ્રધાને કહ્યું કે, ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે સૌથી મોટો તફાવત અભિગમ છે. આપણા વિરોધીઓનો એજન્ડા સત્તા હડપ કરવાનો છે. આપણો એજન્ડા આગામી 25 વર્ષમાં દેશનો વિકાસ કરવાનો, તેને ગરીબીમાંથી મુક્ત કરવાનો અને યુવાનોની ક્ષમતાને આગળ વધારવાનો છે.જો વિરોધીઓની સરકાર અહીં આવશે તો કેન્દ્ર સરકાર સાથે દરેક મુદ્દા પર લડતી રહેશે, તે તેની રાજનીતિ કરતી રહેશે અને તમામ પ્રોજેક્ટને લટકાવીને રાખશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!