Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકળિયુગમાં પણ આજે ચોટીલાના પર્વત પર ચામુડામાં સાક્ષાત બિરાજમાન...

કળિયુગમાં પણ આજે ચોટીલાના પર્વત પર ચામુડામાં સાક્ષાત બિરાજમાન…

સૌરાષ્ટ્રની ભૂમિ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવનાર ભૂમિ આજ સુધી રહી છે. અહીંના લોકો દેવી-દેવતાઓમાં વિશ્વાસ ધરાવનાર છે. કોઈપણ નાના મોટા કાર્યકર્તા પહેલાં ગુજરાતીઓ ભગવાન પ્રત્યે વિશ્વાસ તેમજ શ્રદ્ધા રાખીને પોતાના કામ સિદ્ધ કરતા હોય છે.

આપણા દેશમાં આમ તો દેવી-દેવતાઓના નાના મોટા અનેક મંદિરો તેમજ પવિત્ર યાત્રા સ્થળો આવેલા છે.

આજે એક એવા જ પવિત્ર મંદિરની વાત કરીશું. જે મંદિર ચોટીલામાં આવ્યું છે અને જ્યાં ચામુંડા બિરાજમાન છે જે તમે જાણતા જ હશો. માન્ય રીતે મંદિરમાં તો ભક્તોની ભીડ કાયમ માટે રહેતી જ હોય છે પરંતુ ચોટીલા મંદિરમાં તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડતા હોય છે.

ચોટીલા મંદિરની ખાસ વાત તો એ છે કે રાત્રે કોઈ વ્યક્તિ કે પૂજારી પણ આ મંદિરમાં રહી શકતા નથી. ચોટીલાના આ પવિત્ર મંદિર છે વધારે વાત કરીએ તો મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને આસો નવરાત્રી ના સમયમાં આ મંદિરમાં ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.

ચોટીલાની પવિત્ર ધરા પર મા ચામુંડા ના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ કાયમ માટે રહેતી હોય છે. આટલું જ નહીં પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા ભક્તો કઠિન માનતાઓ પણ માને છે તેમ જ માનતાઓ પૂરી પણ કરે છે. જાણકારી અનુસાર ચામુંડા માતાના દર્શન કરવા માટે ભક્તોને આશરે 600 જેટલા પગથિયાં ચડવા પડે છે.

માન્યતા અનુસાર ત્યારે રાક્ષસચંડ અને મુંડ દેવી મહાકાળી પર વિજય મેળવ્યો હતો અને લડાઈમાં આવી હતી ત્યારે તેમના માથા કાપી તેમને અંબિકા ને રજુ કર્યા તેણે મહાકાળી ને કહ્યું કે ચામુંડા દેવી તરીકે પૂજવામાં આવશે. ચંદ અને મુંડ નામના બે રાક્ષસનો આ મહાશક્તિ એ કરેલો ત્યારથી આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય છે. ચોટીલા માતાનું વાહન આ તો સિંહ એટલે કે સિંહની પણ પૂજા કરવામાં આવે છે માન્યતા અનુસાર આ મંદિરમાં રોજ રાત્રે સિંહ આવતો હોવાથી રાત્રી દરમિયાન ભક્તો સહિત પુજારીઓ પણ સાંજના સમયે નીચે ઉતરી જતા હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે મોટાભાગના માતાજીના મંદિરે ડુંગરની ટોચ પર આવેલા હોય છે આવી જ રીતેચોટીલા ચામુંડામાનું મંદિર ચોટીલા ડુંગરના ટોચના ભાગમાં આવેલું છે.

અસંખ્ય ભક્તોની ભીડ ચોટીલામાં જોવા મળે છે તેનું એકમાત્ર કારણ માતાજી પ્રત્યે ભક્તોનો વિશ્વાસ જ છે. ચામુંડા માં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી કરેલા ભક્તોના દરેક કાર્યો ચામુંડા માતા સિદ્ધ કરે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!