Published by : Rana Kajal
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકા પગલાં ભરે…
હાલના દિવસોમાં કાળઝાળ ગરમી વરસી રહી છે ત્યારે ભરૂચ નગરમાં વેચાતી અખાદ્ય-ખાધ સામગ્રીઓ અને ઠંડા પીણાઓના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવો માંગ ઉભી થઈ છે… ભરૂચ નગરમાં વીતેલા વર્ષોમા કાળઝાળ ગરમીના દિવસોમાં ઝાડા અને ઉલ્ટી તેમજ કોલેરા જેવા લક્ષણો ધરાવતો રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખી હાલના આ દિવસોમા જ્યારે ગરમીનો પારો સરેરાશ 40 ડિગ્રી કરતા વધુ નોધાઇ રહ્યું છે તયારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને નગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉભી થઇ છે. ભરૂચ શહેરમાં મળતી ખાદ્ય સામગ્રી જેવી કે બેકરી આયટમ, ગોળ અને સિંગ ચીકી ઘરેલુ ઉત્પાદન થયેલા ઠંડા પીણાં, રેસ્ટોરન્ટ, હોટેલ પાણીપુરીની લારીઓ, પીવાના પાણીના જગનું વિતરણ કરતાં વેપારીઓ આ તમામના સેમ્પલ લઈ ને યોગ્ય કાયૅવાહી કરવામાં આવે તે જનહિત માટે અત્યંત જરૂરી છે. સાથે જ લોકો દૂષિત પાણી પીએ તેના સ્થાને નગરપાલીકા દ્વારા આરોગ્યપ્રદ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા પણ નગરપાલિકાએ કરવી જોઈએ. એવી લોક માંગ ઉભી થઈ છે.