Published by : Rana Kajal
છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ…. સમગ્ર દેશમાં અને ગુજરાત રાજયમાં પણ કુદરતી આફત સમાન વાતવરણ જણાઈ રહ્યું છે.. રાજયના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહયો છે. કેરી સાથે સંકળાયેલા ખેડુતોથી માડીને તમામ ખેડુત જગત પર તબાહી અને બરબાદીના વાદળો છવાઈ ગયા છે. ત્યાં અધૂરામાં પુરું આવનાર તા 29માર્ચ થી 5 દિવસો સુધી વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી આફતો આવી શકે છે. તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે…
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં વરસ્યો છે. ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 10 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે પાકને પારાવાર નુકસાની થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી પણ પલળી જવા પામી છે. રાજ્યમાં આગામી 2 દિવસ હજુ વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા માવઠાના ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે….