Published By:-Bhavika Sasiya
- ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી એનએસયુઆઈના ઉપક્રમે યુનિ. કેમ્પસમાં જ વિરોધ કરવામાં આવ્યો હતો.
આ વીરોધ કાર્યક્રમમા આંખે પટ્ટી બાંધી અને ગળામાં પૈસાનો હાર પહેરીને કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો હતો.
આ પ્રકરણ અંગે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું. કે, ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી 10 જુલાઇએ રાતે બીએસસી નર્સિંગની પરીક્ષા બાદ 28 ઉત્તરવહી ગાયબ થઇ હતી. યુનિર્વિટી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. પરંતુ યુનિવર્સિટીના સ્ટાફના કર્મચારીઓની સંડોવણી હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ તપાસમાં પણ યુનિવર્સિટી સહકાર ના આપતી હોવાનો NSUIનો આક્ષેપ કર્યો છે. તેમજ જ્યાં સુધી કસૂરવારોને સજા નહી મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એમ પણ પ્રમુખે જણાવ્યું હતું.