Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateકુશ્તીબાજોની રજૂઆત રંગ લાવી…કુશ્તીબાજોના ધરણા રાત્રે એક વાગે સમેટાયા

કુશ્તીબાજોની રજૂઆત રંગ લાવી…કુશ્તીબાજોના ધરણા રાત્રે એક વાગે સમેટાયા

Published by : Anu Shukla

  •  બ્રિજભૂષણસિંહ ફેડરેશનનું કામ સંભાળશે નહી: મંત્રી અનુરાગ સિંહ

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા 3 દિવસથી યૌનશોષણ જેવી ગંભીર બાબતો અંગે કુશ્તીબાજો ધરણા આંદોલન કરી રહ્યા હતા. જૉકે તેમની માંગણીઓ અંગે સમિતી રચવાની ખાત્રી મંત્રીએ આપતા કુશ્તીબાજોએ મોડીરાત્રે પારણા કર્યા હતા. ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને કુશ્તીબાજો વચ્ચે 7 કલાક સુધી બેઠક ચાલી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના ત્રણ દિવસથી ચાલી રહેલી ધરણા મોડી રાત્રે 1 વાગ્યે સમેટાય હતી. મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે જ્યાં સુધી તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ ફેડરેશનનું કામ સંભાળશે નહીં. આ સમિતિ જ WFIના કામકાજ પર નજર રાખશે. બ્રિજભૂષણ સિંહે પણ તપાસમાં સંપુર્ણ સહકાર આપવાની વાત કરી હતી. આ તરફ બજરંગ પુનિયાએ પણ કહ્યું હતું કે કેન્દ્રીય ખેલ મંત્રીએ અમારી વાતોને સાંભળી હતી અને આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે બજરંગે વધુમાં જણાવ્યું હતુ કે અમને આશા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે, માટે અમે અમારા ધરણા સમાપ્ત કરીએ છીએ.

રેસલર બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સાંજે 6 વાગે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરના ઘરે પહોંચ્યા હતા. તેમની વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. બેઠક બાદ ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!