- ભાજપા નિકમ્મી પાર્ટી છે : કેજરીવાલ
- એરપોર્ટ પર મોદી મોદીના નારા સંદર્ભે કેજરીવાલનો જવાબ : મને રાજનીતિ કરતાં નથી આવડતું
વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવી પહોચ્યા હતા અને વડોદરા ખાતે તેઓએ વધુ એક વાડો કર્યો હતી કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.તેઓએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી રહ્યાં છે. હું ગેરંટી આપું છું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો અમે જૂની પેન્શન લાગુ કરીશું. પંજાબના મુખ્યમંત્રીએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. તેઓએ ઉમેર્યું હતું કે રાજ્યના સરકારી કર્મચારીઓની કોઈ પણ પક્ષને ચૂંટણી જિતાડવા કે હરાવવામાં મોટી ભૂમિકા હોય છે.

કેજરીવાલે ભાજપા અને કોંગ્રેસને એક જ પાર્ટી ગણાવી કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ મને અપશબ્દો કહે છે. બંનેની ભાષા પણ એક જ છે. મારો વાંક શું છે? હું ગુજરાતની મોંઘવારી દૂર કરવાની વાત કરુ છું. હું શિક્ષણ અને મેડિકલ સુવિધાઓ મફત આપવા માંગુ છું. અમે ગુજરાતના લોકોની ભલાઇની વાત કરીએ છીએ. હવે બંને પક્ષો મારી સામે મોટા નેતાઓ ઉતારશે. તેઓએ કહ્યું હતું કે ભાજપા નિક્કમી પાર્ટી છે. અમારી પર ૧૬૯ કેસ કર્યા છે. તેઓએ ચંદીગઢ એમએમએસ મામલે જણાવ્યુ હતું કે આ મામલો સંવેદનશીલ છે અને આરોપીને સજા મળશે. તેઓએ એમ પણ જણાવ્યુ હતું કે અમારી સરકાર બનશે દારૂબંધી ગુજરાતમાં યથાવત રહેશે. પંજાબના મુખ્યમંત્રીના મામલે તેઓએ જણાવ્યુ હતું કે પંજાબમાં ભગવતમાનના વિરોધીઑ કીચડ ઉછાળી રહ્યા છે. પત્રકાર પરિષદ બાદ તેઓએ જિલ્લાના શિક્ષકો અને વાલીઓ સાથે પણ વાત કરી હતી અને તેઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )