દેશમાં ક્યાંય કોરોના રસીની આડઅસરથી કોઈનું મૃત્યુ થયું હોય તો તે માટે સરકાર જવાબદાર નથી. કોરોના રસીની આડઅસરની માહિતી જાહેર કરાઈ ચૂકી છે. કોઈ તે બધુ જાણ્યા પછી પણ રસી લે છે અને તેમને પરેશાની થાય, તો સરકારને દોષિત ના ઠેરવી શકાય કારણ કે, રસી મૂકવાની મંજૂરી જે તે વ્યક્તિએ જ આપી હોય છે. ’કેંદ્ર સરકારે આવો જવાબ સુપ્રિમ કોર્ટ માં આપ્યો હતો. સરકારે વધુમાં જણાવ્યું કે અમને સહાનુભૂતિ પણ રસીથી મોત માટે અમે જવાબદાર નહીં કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમકોર્ટમાં એક એફિડેવિટમાં આ જવાબ આપ્યો છે. હાલ કોર્ટ કોરોના રસી મુકાવ્યા પછી બે યુવતીના મોતના મામલામાં વળતરની અરજીની સુનાવણી કરી રહી છે. કેન્દ્ર તરફથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એડિશનલ કમિશનર ડૉ. વીના ધવને કહ્યું કે, ‘સરકાર જનહિતમાં લોકોને કોરોના રસી મુકાવવા પ્રોત્સાહિત જરૂર કરે છે, પરંતુ તે કાયદા હેઠળ ફરજિયાત નથી. તે વ્યક્તિના વિવેક અને સ્વેચ્છાથી લીધેલા નિર્ણય પર નિર્ભર છે. જ્યારે વ્યક્તિ ડૉક્ટરને સંમતિ આપે છે, ત્યારે જ રસી મુકાય છે. તેને કોઈ મજબૂર નથી કરતું. જેની ઈચ્છા હોય અને જેમને સુરક્ષિત લાગે તેઓ મુકાવે. લોકો રસી મરજી પ્રમાણે જ લઈ રહ્યા છે.’…
વધુમાં સરકારે જણાવ્યુ કે પીડિતને વળતર જોઈએ, તો તે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. આ જ એકમાત્ર ઉપાય છે, પરંતુ કલમ 25 હેઠળ સુપ્રીમકોર્ટ સમક્ષ આવી માંગ કરવી અયોગ્ય છે.કોરોના રસીની આડ અસરના કારણે જીવ ગુમાનવનારા અને તેમના પરિવાર માટે સરકારને સહાનુભૂતિ છે, પરંતુ રસીની આડ અસર માટે સરકારને જવાબદાર ના ઠેરવી શકાય.અરજદાર રચના ગંગૂની પુત્રીને થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (ટીટીએસ) થયો હતો. તે દુનિયાભરમાં કોરોના રસીથી થતી દુર્લભ આડ અસરમાં સામેલ છે.ભારતમાં 30 સપ્ટેમ્બર સુધી ટીટીએસના 26 કેસ નોંધાયા, જેમાંથી ફક્ત 12ના મૃત્યુ થયા. જ્યારે કેનેડામાં ટીટીએસના 105 અને ઓસ્ટ્રેલિયામાં 173 કેસ નોંધાયા. અન્ય દેશોની તુલનામાં ભારતમાં ટીટીએસના નહીવત કેસ નોંધાયા છે. એમ પણ સરકાર તરફથી જણાવાયુ હતું.