Published by : Vanshika Gor
અમદાવાદમાં કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો થયો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા થઈ ગયો છે. અગાઉ પેટી દીઠ 1200 રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200થી 2600 રૂપિયા છે. અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં મળે છે. સુંદરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી છે. આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની આશા છે.
ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ફળોનો રાજા અને સૌ કોઈના પ્રિય ફળ કેરીની શરૂઆત થવાની છે, ત્યારે સૂકા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 10,900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે તો કમોસમી વરસાદના મારના કારણે 4500 હેક્ટર જેટલા વિસ્તારમાં આંશિક નુકસાની થઈ છે.
આ વર્ષે કચ્છની કેસર કેરીનો ભાવ પ્રતિ 10 કિલો 700 થી 1200 રૂપિયા મળે તેવી આશા છે.ઉપરાંત કચ્છની કેસર કેરીનો સ્વાદ જ એવો હોય છે કે આટલા ભાવમાં તો વેંચાણ આરામથી થઈ જશે.