Home News Update Nation Update કૈલાશ – માનસરોવરના યાત્રાળુઓ મુસીબતો વધારતું ચીન…

કૈલાશ – માનસરોવરના યાત્રાળુઓ મુસીબતો વધારતું ચીન…

0

Published by : Rana Kajal

  • યાત્રાળુઓ માટે કડક નિયમો નક્કી કર્યાં…

દરેક હિન્દુઓની આસ્થા અને શ્રધ્ધા કૈલાસ – માનસરોવરની યાત્રામાં હોવાથી દરેક આ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. ત્યારે આ યાત્રા અંગે ચીન વધુ આકરા નિયમો અમલમાં મુકી યાત્રાને વધુને વધુ મુશ્કેલ બનાવી રહ્યું છે. સૌપ્રથમ તો ચીને યાત્રાની ફી બે ગણી વધારી દીધી છે. સાથે જ ચીને અન્ય નિયમો પણ લાદી દીધા છે. જેની વિગત જોતા હવે યાત્રાળુઓએ વ્યક્તિગત વિઝા લેવા ઉપસ્થીત રહેવું પડશે, ઓનલાઇન અરજી સ્વીકારવામાં નહી આવે. તેથી ચીન દૂતાવાસના ધક્કા યાત્રાળુઓએ ખાવા પડશે. હવે વિઝા મેળવવા માટે ઓછામાં ઓછાં 5 યાત્રાળુ હોવા જોઈશે જે પૈકી 4 જણાએ વિઝા માટે જાતે જવું પડશે. તિબેટમાં પ્રવેશ કરતા નેપાળી શ્રમિકોને ગ્રાસ ડેમેજિંગ ફી માટે 300 ડોલર આપવાના રહેશે. તે સાથે યાત્રાળુઓએ કોઇ વર્કર ને સાથે રાખવા હશે તો પ્રવાસ ફીના 15 દિવસના રૂ 13 હજાર ચૂકવવા પડશે અગાઉ આ ફી માત્ર રૂ 4200 હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version