Published by : Vanshika Gor
દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની 5 દિવસની CBI કસ્ટડી આજે પૂરી થઈ હતી અને આજે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સિસોદિયાની જામીન અરજી પર આજે નિર્ણય આપ્યો હતો. દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને બે દિવસના CBI રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. હવે પછી આ મામલે 10મી માર્ચે સુનાવણી થશે.
સિસોદિયા બે દિવસના CBI રિમાન્ડ પર
રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના CBI રિમાન્ડ વધુ બે દિવસ લંબાવ્યા છે. CBIએ કોર્ટને મનીષ સિસોદિયાના વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
અગાઉ CBIએ મનીષ સિસોદિયાની બે વખત પૂછપરછ કરી
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ફરિયાદ પર સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસીને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 15 લોકોના નામ હતા. સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. લગભગ 8 કલાકની પૂછપરછ બાદ સીબીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીએ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ AAP નેતાની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. અગાઉ સીબીઆઈએ બે વખત પૂછપરછ કરી છે.