Published by : Vanshika Gor
અમૃતપાલ સિંહે આત્મસમર્પણ કર્યું અમૃતપાલે મોગા પોલીસની સામે મોડી રાત્રે આત્મસમર્પણ કર્યું છે. અમૃતપાલ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર વીડિયો જાહેર કર્યા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે બૈસાખીના અવસર પર આત્મસમર્પણ કરશે, પરંતુ તેણે આત્મસમર્પણ કર્યું નહીં. પંજાબ પોલીસે નેપાળ બોર્ડર સુધી સમગ્ર દેશમાં ઓપરેશન હાથ ધર્યું હતું. પંજાબ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી.
અમૃતપાલ સિંહ વિરુદ્ધ સરકારી કાર્યવાહીમાં અવરોધ, શાંતિ ભડકાવવા જેવા અનેક ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહે શનિવારે મોડી રાત્રે મોગા પોલીસની સામે સરન્ડર કર્યું હતું.