- દેશમાં 15 ટકા બની બેઠેલા શેઠજી-ભટ્ટજીના રાજ માટે જ EVM નો પ્રયોગ થાય છે
- ભાઈ નરેન્દ્રભાઈ તમને SC, ST, OBC, માઈનોરિટી દેશના 85 ટકા લોકો ન ગમતા હોય તો ગોળી મારી દેવાની વાત કરી
- 2024ની ચૂંટણી બેલેટથી લડાઈ તેવી ડિમાન્ડ કરી લોકોને નાસીપાસ નહિ થવા છોટુ વસાવાએ કહ્યું
ભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી એક હથ્થુ શાસન બાદ પરાજય પછી પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.
ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરું ફોડયું છે. ગુજરાતમાં આવેલા ચૂંટણીના પરિણામ પહેલેથી જ નક્કી હોવાનું તેમણે કહ્યું છે. તેઓ એ કહ્યું છે કે, હું તો કહ્યા જ કરતો EVMમાં સેટિંગ કરીને હરાવશે. લોકોએ હવે સમજી લેવા જેવું ઇવીએમનો વિરોધ કરવો જોઈએ. તો જ આ દેશ બચવાનો છે.SC, ST, OBC, માઈનોરિટી આ દેશના 85 ટકા લોકો છે. જેઓ આ ઇવીએમ નો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ કંઈક આ દેશની અંદર આ લોકોની પ્રગતિ થશે. બાકી આજે 15 ટકા લોકો છે જે શેઠજી ભટ્ટજી આ દેશમાં બની બેઠા છે. જેણે દેશને લૂંટયો હોવાનો આક્ષેપ છોટુભાઈએ કર્યો છે. એવા લોકોને હંમેશા રાજ કરવા માટે જ ઇવીએમનો પ્રયોગ થતો હોવાની વાત કરી છે.
લોકશાહી જેવો દેશ હોય તો ડરી શાનાથી રહ્યા છે. બેલેટ પેપરથી ચૂંટણી કેમ નથી કરાવતા તેઓ પણ સવાલ કર્યો છે.વધુમાં પ્રધાનમંત્રીનું નામ લઈ તેમણે કહ્યું હતું કે, ભાઈ નરેન્દ્રભાઈ તમે આ બધું છોડી દેજો. દેશના આ 85 ટકા લોકો તમને નહિ ગમતા હોય તો તેમને ગોળી મારી દો, પણ આ રીતે રિબાવવાનું બંધ કરો. જો આ રીતે જ રાજ ચાલતું રહ્યું તો આ 85 ટકા ની હસ્તી નહિ રહે તેવી પણ હૈયા વરાળ ઠાલવી. અંતે છોટુભાઈ વસાવાએ દેશના SC, ST, OBC, માઈનોરિટીને નાસીપાસ નહિ થવા અને 2024 ની લોકસભા ચૂંટણી આવતી જ હોય બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરવા અનુરોધ કર્યો છે. ગુજરાતમાં ભાજપની આ જીતને તેઓએ EVM અને રૂપિયાની તાકાત પણ ગણાવી હતી.