Published By : Parul Patel
ગરીબો મોંઘી બદામ ખરીદી શકતા નથી તેથીજ તેઓ માટે કુદરતે મગફળીનુ સર્જન કર્યુ છે. જે આરોગ્ય માટે ગુણકારી છે…
જેમકે મગફળી ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. મગફળી ખાવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. કારણ કે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. મગફળીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. શરીરને જરૂરી પોષક તત્વો મળે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે જો ડ્રાયફ્રૂટ્સ ખાવા પરવડે તેમ ન હોય તો મગફળી ખાઈને પણ ડ્રાયફ્રુટ સમાન લાભ મેળવી શકો છો. મગફળીમાં પણ એવા ઘણા ગુણ હોય છે જે ડ્રાયફ્રૂટ્સમાંથી મળે છે. જો મગફળી ખાવાનું રાખવામાં આવે તો પણ ડ્રાયફ્રૂટ ખાધા સમાન લાભ થાય છે.
મગફળી ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ દૂર રહે છે. ખાસ કરીને જે લોકોનું વજન વધારે હોય અને વારંવાર ભૂખ લાગતી હોય તેમણે મગફળી ખાવાનું રાખવું જોઈએ. એક મુઠ્ઠી મગફળી ખાવાથી પણ કલાકો સુધી ભૂખ નહીં લાગે અને ધીરે ધીરે શરીરની ચરબી ઘટવા લાગશે. જો ડાયાબિટીસના શરૂઆતથી લક્ષણ જોવા મળે તો મગફળીનું સેવન શરૂ કરવું જોઈએ તેનાથી હાઈ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેમજ મગફળીમાં પોલીફેનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવામાં પણ અસર દેખાડે છે. કેટલીક રિસર્ચ અનુસાર મગફળીનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે. મગફળીમાં એવા ફેટી એસિડ રહેલા હોય છે જે ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. મગફળીનું સેવન કરવાથી શરીરમાં રહેલા અભિશાપ્ત પદાર્થ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. નિયમિત એક મુઠ્ઠી મગફળી ખાવાથી પણ સ્કીન હેલ્ધી રહે છે. આ ગુણકારી મગફળી ખારી શિંગ સ્વરૂપે ખુબ વેચાય છે. તેમાં પણ ભરૂચની ખારી શિંગ ખુબજ ખ્યાતિ ધરાવે છે.