મળતી વિગતો અનુસાર ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના મંદિર પરિસર નજીક પીવાના પાણીની વ્યવસ્થા ન હતી. પરિણામે ગિરનાર પર્વત પર આવતા યાત્રિકોને ઉપર આવ્યા બાદ પીવાના પાણીનો મોંઘી બોટલો ખરીદવી પડતી હતી.જેના કારણે ખર્ચ પણ વધી જતો હતો અને સાથે પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ વધી જતું હતું. ત્યારે રોપ-વેનું સંચાલન કરતી કંપની ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા અંબાજી મંદિર પરિસર ખાતે આરઓ પ્લાન્ટ સાથેનું નિ:શુલ્ક પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યુ છે.
ઉષા બ્રેકો કંપની દ્વારા 500 લીટરની ટાંકી મૂકાઇ છે. પર્વત પર પાણી ન હોય કંપની દ્વારા તળેટીમાંથી પાણી ભરીને આ પાણી કાર્ગો રોપ- વે દ્વારા ઉપર લાવવામાં આવે છે. કંપની દ્વારા પરબ શરૂ કરાતા હવે યાત્રિકો નિ:શુલ્ક શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે.