Published By : Parul Patel
વિશ્વમાં સૌથી વધુ ફેલાતી અને જોખમી બીમારીઓમાં ડિપ્રેશન એટલે કે હતાશાનો સમાવેશ થાય છે. સમાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લાંબા સમયથી માનસિક તણાવ ગ્રસ્ત પરિસ્થિતીમાં રહેવાથી માનવી ડિપ્રેશનમાં આવી જાય છે, સાથે જ ગીચ અને શહેરી વિસ્તારમાં રહેતાં લોકો ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો દરીયા કિનારે રહેતા લોકો કરતા વધુ પ્રમાણમાં ડિપ્રેશનમાં જણાઈ રહ્યાં છે.
હાલમાં અમેરિકાની યેલ યુનિવર્સિટી, સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટી, અને ડેનમાર્કની કોપનહેગન યુનિવર્સિટીના સંયુક્ત અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે સાથેજ એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો ટાઉન પ્લાનિંગ યોગ્ય રીતે કરવામાં આવશે, અને હવા ઉજાસનો પૂરતો અવકાશ હશે ત્યાં ડિપ્રેશન અને અન્ય બિમારીઓ ફેલાવવાની શક્યતા ખુબ ઓછી હોય છે.