Published by : Rana Kajal
રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિયુક્તિ કરવામાં આવી છે. રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે અને હાલમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર આ મહિનાના અંતમાં 31મી જાન્યુઆરી નિવૃત થશે.
પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ થશે પૂર્ણ
27 ઓગસ્ટ 2021ના રોજ રાજ્ય સરકારે 1986ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી હતી. તેમણે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળ્યો હતો. 6 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે. વિદાય લઈ રહેલા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ બાદ તેઓ ગુજરાત બેચના આઈએએસ ઓફિસરોમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થશે.