ગુજરાત રાજ્યમાં હવે મોબાઇલનું વ્યસન ખૂબ વધી રહ્યું છે જેના ચોકાવનારા પરિણામો આવી શકે છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડૉ. જોગસણ અને અધ્યાપક ડૉ. દોશીના માર્ગદર્શનમાં 4410 તરુણો પાસેથી માહિતી એકત્ર કરી. આ માહિતીમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે જેમાં 13 થી 15 વર્ષના 8.14% છોકરા અને 12% છોકરીઓ તેમજ 16થી 18 વર્ષના 27% તરુણ અને 32% તરુણીઓ મોબાઈલના બંધાણી છે. આ ઉપરાંત બાળકોમાં હજુ પણ વાંચેલું યાદ ન રહેવું, પરીક્ષાનો ભય, નકારાત્કામ વિચારો, આત્મવિશ્વાસનો અભાવ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.સૌથી વધુ 16થી 18 વર્ષ (તરુણી) – 32% મોબાઇલ એડિક્સનથી પીડાય છે. 10%ને યાદ રહેતું નથી,14%ને નકારાત્મક વિચાર આવે છે, 32%ને મોબાઇલ એડિક્સન છે, 10%ને ભવિષ્ય વિશે ચિંતા છે, 15%ને પ્રેમ અને અંગત સબંધમાં નિષ્ફળતા, 10%ને કોઈ જાતીય રીતે પરેશાન કરશે તો એવો ડર, અન્ય સમસ્યાઓ જેમાં ગભરામણ થવી, ફેમિલી પ્રોબ્લેમ, રાત્રે ડર લાગવો, શિક્ષક પર ગુસ્સો, અન્ય વ્યકિત સાથે વાત કરવાની બીક, સ્કૂલ જવુ ના ગમવુ જેવી સમસ્યાઓ હતી.જ્યારે 16 થી 18 વર્ષ (તરુણ) – 15% વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય છે 18%ને વાંચેલું યાદ રાખવામાં મુશ્કેલી પડે છે, 15%ને પરીક્ષાનો ભય લાગે છે, 27%ને મોબાઈલ એડિકસન છે, 14%ને આત્મવિશ્વાસની કમી છે, 15%માં એકાગ્રતાનો અભાવ, 11%ને નકારાત્મક વિચાર આ સિવાય બીજી કેટલીક નાની મોટી સમસ્યાઓઓ જણાઈ હતી જેમકે ભવિષ્ય અને કરિયર વિશેની ચિંતા, સામાજિક સમસ્યાઓ, સબંધોમાં નિષ્ફળતા, કૌટુંબિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો વગેરે સમસ્યાઓ હતી. જોકે વાલી બાળકોના પ્રશ્નો હવામાં ન ઉડાવે, તાર્કિક જવાબ આપે તેવી સલાહ આપવામાં આવી રહી છે. એવી અવસ્થા છે જેમાં યોગ્ય દિશા અને સલાહ ન મળી રહે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. આ એવો સમય છે જેમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સાથે તાલમેલ ન મળે તો વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. યોગ્ય સલાહ ત્યારે આપી શકાય જ્યારે સમસ્યા યોગ્ય રીતે જાણી શકાય.
ગુજરાતમાં મોબાઈલનું વ્યસન વધતા જોખમ ઉભુ થયુ..
RELATED ARTICLES