Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાત રાજ્યમાં લાંચ રિશ્વત વિરોધી શાખાએ બે વર્ષના સમયમાં કુલ 314 સરકારી...

ગુજરાત રાજ્યમાં લાંચ રિશ્વત વિરોધી શાખાએ બે વર્ષના સમયમાં કુલ 314 સરકારી બાબુઓ સામે લાંચ અંગેની કાર્યવાહી હાથ ધરી… તેમજ રોકડા રૂ. 2.24કરોડ જપ્ત કર્યાં…

Published by : Vanshika Gor

રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બે વર્ષના સમયગાળામાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કુલ 314 જેટલા ગુના નોંધાયાં હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી પણ લોકોને ભ્રષ્ટાચાર મામલે લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે.


સુત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ છેલ્લા બે વર્ષમાં લાંચના છટકા ગોઠવીને અનેક લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે, એટલું જ નહીં આવક કરતા વધુ મિલ્કત ધરાવતા સરકારી અધિકારી-કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરાઈ હતી.314 ગુનાઓ પૈકી 177 ગુનામાં આરોપીઓ સામે તપાસનીશ એજન્સી દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જ્યારે 137 જેટલા ગુનાની હાલ તપાસ ચાલી રહી છે પોલીસ કર્મીઓ સામે પણ કરવામાં આવી છે જેની સંખ્‍યા 86ની છે. રાજ્યમાં ભ્રષ્ટાચારના સૌથી વધારે કેસ મહેસુલ વિભાગ તથા ગૃહ વિભાગમાં સામે આવતું હોવાનું ચર્ચાય રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા પારદર્શિત વહીવટ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, એટલું જ નહીં એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસીબી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!