- રિપોર્ટમાં રાજ્યમાં હવાની ગુણવત્તામાં ખરાબી નોંધાઈ
ગુજરાત વિધાનસભાના ૨ દિવસીય ટૂંકા સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રદૂષણના કારણે થતા મૃત્યુ મામલે આ અહેવાલમાં ખુલાસો કરાયો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં હવાના પ્રદૂષણના કારણે વર્ષ 2019માં 16.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ રિપોર્ટમાં કોરોના મહામારીના સમયે લોકડાઉન દરમિયાન હવાની ગુણવત્તા સુધરી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સિવાય ગુજરાતના ઉદ્યોગ-ધંધાઓ પર પણ પ્રદૂષણની અસર વર્તાઈ રહી છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની (GPCB) કામગીરી સામે કેગનો આ રિપોર્ટ અનેક પ્રશ્નાર્થો ખડા કરે છે. કેગના રિપોર્ટથી સાબિત થઇ રહ્યું છે કે, હવા પ્રદૂષણને કંટ્રોલમાં લેવામાં જીપીસીબી નિષ્ફળ રહ્યું છે. આ રિપોર્ટમાં રાજ્ય સરકારની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર હસ્તકનું GPCB બોર્ડ રૂઢા કસૂરવાર એકમો પાસેથી જે ભંડોળ મેળવે છે તે ભંડોળ યોગ્ય ઉપયોગ કરી રહ્યું નથી.
આ ઉપરાંત રાજ્યના ધોરીમાર્ગોને હરિયાળા બનાવવા માટે સરકારની કામગીરી પણ ખૂબ નબળી રહી છે. આ અંગે સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે વિધાનસભા ગૃહ બહાર હોબાળો પણ મચાવ્યો હતો. સમય સાથે જીપીસીબીની કામગીરી વધી છે પરંતુ સામે તેના માનવ સંસાધનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.