Published By:-Bhavika Sasiya
યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ઈરાદો જાહેર કર્યો છે. કમિટીની રચના કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચનો મેળવવામાં આવશે. તેમજ સૂચનોના આધારે નિર્ણય લેવામાં આવશે.
બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે.

આ ઉપરાંત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરની ઉંચાઈ વધારવામાં આવશે. 50 ફૂટથી 86 ફૂટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર આ મંદિરના નવીનીકરણ માટે રૂપિયા 70 કરોડ વાપરશે. તેમણે કહ્યું કે, બહુચરાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. આ ઉપરાંત બિપરજોય વાવાઝોડામાં તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે. 112653 લોકોને સહાય ચુકવવામાં આવી છે. પશુ સહાયમાં 2858 કેસમાં 4 કરોડની સહાય ચુકવવામાં આવી છે. ખેતી અને બાગાયતી પાકના નુકશાનનો અહેવાલ આવી ગયો છે. કેટલી સહાય ચૂકવવી તે અંગે ટુંક સમયમાં નિર્ણય થશે. આ ઉપરાંત PMJAY આગામી 11મી તારીખથી રૂપિયા 10 લાખની સારવાર મળશે. વિધાનસભાની ચૂંટણી સમયે આ જાહેરાત કરવામાં આવી હતી.