Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં મોત પામેલાઓ અંગે તપાસ શરૂ… મૃતકના ઘરે...

ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં મોત પામેલાઓ અંગે તપાસ શરૂ… મૃતકના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ પહોંચ્યું…

Published by : Rana Kajal

રાજયના મહેસાણાના માણેકપુર ગામના એક પરિવારના ચાર વ્યક્તિઓઓ કેનેડાથી અમેરિકા ઘુસવાનો પ્રયાસ કરતા હતા આ દરમિયાન બોટ પલ્ટી ખાતે તેમના મોત નિપજ્યા હતા જે અંગે સઘન તપાસ ચાલી રહી છે. મહેસાણાનું આ કુટુંબ બોટ દ્વારા ઘૂસણખોરી કરી રહ્યુ હતુ બોટમાં કુલ આઠ લોકો હતા અને તેમાં પાંચ ગુજરાતી હોવાનું બહાર આવ્યું છે. તેવમાં મહેસાણાના માણેકપુર ગામના પરિવારને મોતના સમાચાર મળતા સબંધીઓ એકઠા થયા હતા. જિલ્લા પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ પરિવાર દ્વારા મૃતકોના મૃતદેહો મેળવવા આજીજી કરતા તેને લાવવા માટે પોલીસ એક્સપર્ટની મદદ લેશે તેમ મહેસાણા જિલ્લા પોલીસની સુત્રોએ જણાવ્યું હતું.

મહેસાણાના માણેકપુર ગામના કેનેડા જવા માટે ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ (50), ચૌધરી દક્ષાબહેન પ્રવીણભાઈ, ચૌધરી વિધિબેન પ્રવીણભાઈ (23), ચૌધરી મીતકુમાર પ્રવીણભાઈ (20) નિકળ્યા હતા. જોકે છેલ્લા 15 દિવસથી પરિવારથી તેઓ સંપર્કમાં ન હતા. તેવામાં અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડુબી જવાથી મોતના સમાચાર પરિવારને મળ્યા હતા. પ્રવિણભાઇના ભાઇ જસુભાઇ ચૌધરીનું કહેવું છે કે, તેઓ વિઝિટર વિઝા સાથે કેનેડા ગયા હતા અને ફરવા માટે ગયા હતા પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, આ પરિવારને મોકલનાર એજન્ટ કોણ છે અને કેવી રીતે તેમને મોકલ્યા છે તેમના સંપર્કમા કોણ કોણ હતું તે અંગે પોલીસે ખાનગીમાં તપાસ હાથ ધરી છે. .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!