Published By : Parul Patel
આર્ટિફિશ્યલ ઇન્ટિલિજેન્સ (AI)ના ગોડફાધર જ્યોફ્રી હિન્ટનએ રોબોટિક સૈનિકોની શોધ કરી છે. આ તેમની શોધને લઈને તેમણે પોતે જ ભય વ્યક્ત કરતા જણાવ્યું કે, રોબોટ સૈનિકો ‘ખૂબ જ ડરામણા’ હશે અને યુદ્ધની શક્યતા વધારી શકે છે. ‘આ ટેક્નોલોજીને ઝડપથી વિકસાવવાની ભૂમિકાને લઈને તેમને “દુઃખ” છે. હિન્ટને તાજેતરમાં જ ગૂગલમાંથી રાજીનામું આપ્યું છે. કેમ્બ્રિજ-શિક્ષિત કોમ્પ્યુટર વૈજ્ઞાનિકે કૃત્રિમ ન્યુરલ નેટવર્ક્સ પરના તેમના કાર્ય સાથે ઉદ્યોગમાં ક્રાંતિ લાવી હતી. પરંતુ તેમને જ ચેતવણી આપી હતી કે, આવી પ્રગતિ ‘ચપળ’ ટર્મિનેટર-શૈલીના કિલિંગ મશીનોની ખતરનાક સંભાવના પણ વધારી દે છે.
અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ‘રોબોટ સૈનિકો’ માટે તૈયાર થઇ શકે છે. કારણ એવું છે કે વાસ્તવિક માનવ સૈનિકોને ગુમાવવાનું જોખમ ના રહે, સાથે હુમલાખોરોએ ‘ચિંતા કરવાની જરૂર જ નહીં રહે’ કે તે કેટલા સૈનિકો ગુમાવશે. નાના દેશોની સુરક્ષા માટે જોખમ ઊભું થઇ શકે છે.
72 વર્ષીય ટેક ગુરુએ ન્યૂયોર્ક ટાઈમ્સ ડેઈલી પોડકાસ્ટને કહ્યું હતું કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ આ ડરામણા રોબોટ સૈનિકો બનાવવા માંગે છે. જેથી તેઓ સૈનિકોને બદલે રોબોટ મોકલી શકે છે. આનાથી સૈનિકોનું નુકસાન પણ ના થાય અને સૈનિકો મૃત્યુ પામશે. આવી સ્થિતિમાં રાજકારણીઓને પૈસા આપનારા પણ સમર્થન કરશે. તેઓ આને શાબાશ કહીને બિરદાવશે. આ મોંઘા હથિયારો લડવા માટે મોકલી રહ્યા હોવાનું કહી લોકોમાં તેમના પ્રત્યેનો વિશ્વાસ વધારશે. સમજદાર હોવાની તેમની શાખને વધારશે.
હિન્ટનના મતે ‘મિલિટરી ઈન્ડસ્ટ્રી કોપકોમ્પ્લેક્સને પણ રોબોટ સૈનિકો ગમશે. એવો ભય પણ છે કે, એક સમય એવો આવશે જ્યારે રોબોટ્સ “આપણા કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે અને માનવીને જ ટેક ઓવર કરી લેશે. જો રોબોટને કંઈક આપશો તો તેઓ સમજી જશે કે તેનાથી તેમને વધુ શક્તિ મળશે.
આ અગાઉ ભારતીય મૂળના જાણીતા અર્થશાસ્ત્રી અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે આશંકા વ્યક્ત કરી હતી કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને કારણે આવનારા દિવસોમાં શ્રમ બજારમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમણે નીતિ નિર્માતાઓને આ ટેક્નોલોજીને નિયંત્રિત કરવા માટે જલદી નિયમો બનાવવાની અપીલ કરી છે. એનું કારણ એવું પણ છે કે, રોબોટિક વ્યક્તિથી, કંપની અને સંસ્થા સહીતના કામદારો માટે જોખમ ઉભું થઈ શકે છે. ગીતા ગોપીનાથે આ વિક્ષેપોથી નિપટવા માટે જલદીથી જલદી તૈયારી શરૂ કરે અને નિયમો બનાવવાનું શરૂ કરી દેવાનું જણાવ્યું છે.