Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDesignInteriorsઘરમા તસ્વીરો કેવી હોવી જોઈએ...એક તસવીર લાવશે લગ્નજીવનમાં મીઠાશ..!

ઘરમા તસ્વીરો કેવી હોવી જોઈએ…એક તસવીર લાવશે લગ્નજીવનમાં મીઠાશ..!

Published By: Parul Patel

જાણો ઘરમાં કઈ તસવીર રાખવી શુભ અને કઈ અશુભ..?

ઘરની દીવાલો પર તસ્વીર ન હોય તો સુનું સુનું લાગે, પરંતું સાથે જ એ પણ જાણવુ જરૂરી છે કે કઈ તસવીરોનું ઘરમાં હોવું શુભ મનાય છે અને કંઈ તસ્વીર નુ ઘરમા હોવું અશુભ મનાય છે.

વિવિઘ તસ્વીરોની અસર જોતા દાંપત્યજીવનની સમસ્યાઓથી મુક્તિ અર્થે

⦁ લગ્નજીવનમાં ખુશીઓ લાવવા માટે બેડરૂમમાં નૃત્ય કરતા મોરની તસવીર કે ચિત્ર લગાવો. કહે છે કે તેનાથી આપના જીવનમાં ખુશીઓનું આગમન થશે.

⦁ પતિ-પત્નીના સંબંધોમાં નીરસતા હોય તો બેડરૂમમાં શંખ, વાંસળી અથવા તો પછી હસતા બાળકોની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેનાથી આપના જીવનની નીરસતા દૂર થાય છે.

⦁ સંતાન સુખથી વંચિત દંપતિએ તેમના બેડરૂમમાં લડ્ડુ ગોપાલની તસવીર કે ચિત્ર લગાવવું જોઇએ.

⦁ પતિ-પત્ની વચ્ચે હંમેશા મતભેદ અને ખટરાગ રહેતો હોય તો બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર કે ચિત્ર લગાવવું જોઈએ. તેમજ પૂર્વ દિશામાં જળ ભરેલો કળશ રાખવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી લગ્નજીવનમાં મધુરતા આવશે.

બાળકોના અભ્યાસમાં એકાગ્રતા અર્થે

⦁ જો બાળક અભ્યાસમાં એકાગ્રતા ન લાવી શકતું હોય તો બાળકની અભ્યાસ માટે બેસવાની જગ્યા પર, તેની સામે રહે તે રીતે દેવી સરસ્વતીની તસવીર લગાવવી. આ તસવીરમાં દેવીએ સફેદ વસ્ત્ર ધારણ કરેલા હોવા જોઈએ. તેમજ તેમના હાથમાં વીણા હોય તો તે ઉત્તમ રહેશે.

⦁ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મોર, વીણા, પુસ્તક, કલમ, હંસ કે માછલીનું ચિત્ર લગાવવાથી પણ બાળકનું ચિત્ત અભ્યાસમાં એકાગ્ર બને છે.

કઈ તસવીરો ભૂલથી પણ ન લગાવવી

⦁ ઘરમાં લગાવવામાં આવેલી કેટલીક તસવીરો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. એટલે આવી તસવીરો ભૂલથી પણ તમારા ઘરમાં ન લગાવવી જોઈએ.

⦁ ઘરમાં ક્યારેય તાજમહેલની તસવીર કે ચિત્ર ન રાખવું જોઈએ. કારણ કે, વાસ્તવમાં તે એક સમાધિસ્થાન છે, કહે છે કે આવી તસવીરનું ઘરમાં હોવું એ લગ્નજીવનમાં તિરાડનું કારણ બની શકે છે !

⦁ ઘરમાં તાંડવ કરતા શિવ કે નટરાજની મૂર્તિ પણ ન રાખવી જોઇએ. કારણ કે, તે વિનાશ અને ક્રોધનું પ્રતિક છે.

⦁ હિંસક પશુઓની તસવીર કે ચિત્રો પણ ઘરમાં ન રાખવા જોઇએ. તેનાથી આત્મવિશ્વાસ અને સંયમમાં ઘટાડો થાય છે. તેમજ પરિવારમાં કલેશની સ્થિતિ સર્જાય છે. ઘરના સુખ-શાંતિનો નાશ થઈ જાય છે.

⦁ ઘરમાં મહાભારતની તસવીર કે ચિત્ર પણ ન લગાવવા જોઈએ.

⦁ ટાઇટેનિક કે પછી કોઈ ડૂબતા જહાજની તસવીર કે ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ. આવા ચિત્રો દુર્ભાગ્યના સૂચક છે. જે વ્યક્તિના મનોબળને ઘટાડી દે છે તેમજ મતભેદો વધારે છે.

DT6RD9 SINKING SCENE TITANIC (1997)

નોંધ: અહી ઍક બાબત નોંધવી જરૂરી છે કે દરેક તસ્વીરની શું અસર થઈ શકે છે. તે અંગે દરેકના વિચારો અલગ અલગ હોય શકે છે. કોઇ ચોક્કસ નિયમ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!