Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateચારધામ જતા પહેલા વાંચી લ્યો આ મહત્વના સમાચાર..ડ્રાઈવરની મેડિકલ ફિટનેસની થશે તપાસ…

ચારધામ જતા પહેલા વાંચી લ્યો આ મહત્વના સમાચાર..ડ્રાઈવરની મેડિકલ ફિટનેસની થશે તપાસ…

Published by : Vanshika Gor

કેદારનાથ-બદરીનાથ સહિત ઉત્તરાખંડ ચારધામ યાત્રા પર જતા તીર્થ યાત્રાળુઓ માટે મોટી અપડેટ સામે આવી છે. થોડી પણ બેદરકારી તીર્થ યાત્રાળુઓની મુશ્કેલી વધારી શકે છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડમાં રસ્તા પર રાત પસાર કરવી પડી શકે છે. ટેક્સી, સહિત અન્ય કમર્શિયલ ગાડીઓ પર મોટી અપડેટ સામે આવી છે. તીર્થ યાત્રાળુઓની સુરક્ષાને લઈને કમર્શિયલ ગાડીઓના ડ્રાઈવરો પર આકરુ વલણ અપનાવાશે.

ટેક્સી સહિત કમર્શિયલ ગાડીઓના ડ્રાઈવરોની મેડીકલ ફિટનેસ બાદ જ ગાડીઓને આગળ જવા દેવાશે. બીજા પ્રદેશોમાંથી ઉત્તરાખંડના રસ્તાઓ પર કમર્શિયલ ગાડીઓને ચલાવવા માટે ગાડીઓ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ હોવા પણ જરૂરી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને સરકાર તરફથી કારગર પ્લાન બનાવવામાં આવ્યો છે. ચારધામ યાત્રા પર જતી તમામ કમર્શિયલ વાહનોના ડ્રાઈવરોની ઋષિકેશમાં જરૂરી સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે. પરિવહન વિભાગના માનાંકો પર ખરા ઉતરનાર ડ્રાઈવરોને જ આગળ જવાની પરવાનગી મળશે. આ સાથે જ બીજા રાજ્યોમાંથી આવતા કમર્શિયલ મુસાફર વાહનોમાં બે ડ્રાઈવરોનું હોવુ જરૂરી હશે.

ઋષિકેશમાં બનવા જઈ રહેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં દરેક ડ્રાઈવરની પાંચ જુદી-જુદી તપાસ કરવામાં આવશે. ત્યારે તેને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે. યાત્રા માર્ગ પર દરેક મુખ્ય પડાવ પર ડ્રાઈવરો માટે વિશ્રામ કેમ્પ અને વાજબી ભાવે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!