Published by : Vanshika Gor
કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે મંગળવારે એટલે કે 21મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ થશે. સવારે 7 વાગ્યાથી જ વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વ્હોટ્સએપ નંબર પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. પર્યટન વિભાગે રજીસ્ટ્રેશન માટે આ વખતે ચાર વિકલ્પ આપ્યા છે. શ્રદ્ધાળુઓ વેબસાઈટ વ્હોટ્સએપ નંબર, ટ્રોલ ફી નંબરની સાથે જ મોબાઈલ એપ પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે.
પર્યટન વિભાગ તરફથી નક્કી કરાયું છે કે 21 ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે. શ્રદ્ધાળુ વેબસાઈટ registrationdtouristcare.uk.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. વ્હોટ્સએપ નંબર 8394833833 પરથી પણ રજીસ્ટ્રેશનનો વિકલ્પ રહેશે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 01351364ની સાથે મોબાઈલ એપ touristcareuttarakhandને ડાઉનલોડ કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. હાલ પહેલા ફેઝમાં માત્ર કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે જ રજીસ્ટ્રેશન થશે.
ચૈત્ર મહિનાના પહેલા દિવસથી ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાનો સમય નક્ક થતાં જ ચારેય ધામ માટે રજીસ્ટ્રેશન શરૂ થશે. ત્યાં સુધી કેદારનથા ધામમાં દરરોજ 9 હજાર અને બદ્રીનાથ ધામમાં 10 હજાર શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે. ચારેય ધામની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાં જ બદ્રીનાથ ધામમાં 18 હજાર, કેદારનાથ ધામમાં 15 હજાર, ગંગોત્રીમાં 9 હજાર અને યમુનોત્રી ધામ માટે 5500 શ્રદ્ધાળુઓ પ્રતિદિન દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા સમાપ્ત થાયઃ હોટલ એસોસિએશન
ચાર ધામમાં સ્થિત હોટલ એસોસિએશનના પ્રતિનિધિએ ચારેય ધામની યાત્રા માટે ફરજિતાય કરાયેલી રજીસ્ટ્રેશન વ્યવસ્થાને સમાપ્ત કરવાની માગ કરી છે. ધામમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યાને સીમિત કરવાનો પણ વિરોધ કર્યો છે. સીએમ આવાસમાં સોમવારે મોડી સાંજે CM પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત બાદ હોટલ વેપારીઓએ કહ્યું કે સરકાર ચાર ધામ યાત્રાને ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થાને સમાપ્ત કરે.
CM આજે કરશે ચાર ધામ યાત્રાન તૈયારીઓની સમીક્ષા
ચાર ધામ યાત્રા તૈયારીઓ માટે CM પુષ્કરસિંહ ધામી આજે સમીક્ષા કરશે. આ બેઠકમાં હોટલ એસોસિએશનના પ્રતિનિધિ પણ હાજર રહેશે. બેઠકમાં યાત્રાની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવશે. ચારેય ધામમાં શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન કરવાની સંખ્યાને લઈને પર્યટન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ પર વિધિવત મોહર પણ લાગશે.