Published by : Vanshika Gor
શાળાના વિદ્યાર્થીઓના પુસ્તકોમાંથી મુઘલ ઈતિહાસ અને મહાત્મા ગાંધીની હત્યા સાથે સંબંધિત પાઠ હટાવ્યા પછી હવે, NCERT એ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંના એક ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિ સિદ્ધાંતને પણ વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી હટાવવાનો ફેંસલો લીધો છે. સમગ્ર ભારતમાંથી 1,800 થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષકો અને વિજ્ઞાન વિષયમાં રુચિ ધરાવતા વ્યક્તિએ ધોરણ 9 અને 10 માટેના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતના ટોપિકને દુર કરવા પર નિંદા કરતા NCERT ને બધાના હસ્તાક્ષર સાથે એક પત્ર લખ્યો છે.
બ્રેકથ્રુ સાયન્સ સોસાયટીએ તેમના એક નિવેદનમાં કહ્યું કે, ‘કોર્સમાંથી ઉત્ક્રાંતિના સિદ્ધાંત સામે અપીલ’ આ શીર્ષક સાથે પત્ર શામેલ છે. તેના પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી જેવી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે.વૈજ્ઞાનિક સમુદાયનું માનવું છે કે અભ્યાસક્રમમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવવો એ ‘શિક્ષણનો ભંગ’ છે