ગુજરાત વિધાનસભાની ચુંટણીના દિવસો નજીક આવી રહ્યા છે . તેવા સમયે લગભગ તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને સત્તામાં આવીશુ તો વિવિઘ સેવાઓ મફત અથવા તો ઓછા ભાવે આપવાની તેમજ સરકારી નોકરીઓ આપવા અંગે તેમજ વિવિઘ ભથ્થાઓ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોને રેવડી તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. જોકે નોબેલ પ્રાઈઝ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીએ જણાવ્યુ હતુ કે ચૂંટણી પહેલાં ગરીબોને આપવામા આવતા મફત સુવિધાના વચનોથી ગરીબોને કોઇ ફાયદો નહીં થાય તે બાબત બિલકુલ સ્પષ્ટ બાબત છે. તેમણે એમ પણ જણાવ્યું કે ગરીબોને રેવડી આપવા કરતા ધનિકો પર વધુ કર નાખવો વધુ સારો આર્થિક રસ્તો છે.