Published By : Aarti Machhi
- ભરૂચ પાંજરાપોળ ખાતે સ્નેહીઓના સથવારે ગાય માતાનું પૂજન અર્ચન કરાયું
- બન્ને મહાનુભવોએ તેમના ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસાવનાર તમામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો
ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે ગૌપૂજન કરી કરવામાં આવી હતી.

આપણી પોતાની ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આજે તેમના જન્મદિવસની ઉજવણી પાંજરાપોળ ખાતે કરી હતી. ગૌપૂજન કરી ગાય માતાની આરતી ઉતારી ગાયને ઘાસ ખવડાવી બન્ને મહાનુભવોએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, દક્ષાબેન પટેલ, નગરસેવકો, ભાજપના આગેવાનો, કાર્યકરો, ચેનલ નર્મદા નો સ્ટાફ મિત્રો, સ્નેહીઓ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નરેશ ઠક્કરને જન્મદિવસે સ્વજનો, સ્નેહીજનો, મિત્રોએ શુભેચ્છાઓનો ધોધ વરસાવી દીધો હતો. બન્ને મહાનુભવોએ તમામ શુભેચ્છકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.