મોતીલાલ ઓસાવલ ફાઇનાન્સિયલ સર્વિસીસના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 2017 અને 2022 ની વચ્ચે સંપત્તિ સર્જક તરીકે ટોચ પર હતી. ઇક્વિટી માર્કેટની તેજી સાથે રોકાણકારોની સંપત્તિમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં રોકાણકારોની કમાણી કરવામાં મોખરે રહ્યાં હતા.
દેશની ટોચની 100 લિસ્ટેડ કંપનીઓએ 92.2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિની કમાણી કરાવી હતી. જેમાં 13.02 લાખ કરોડ માત્ર રિલાયન્સે કરોડો રૂપિયાની કમાણી કરી. તેનું વાર્ષિક સરેરાશ વળતર 32% હતું. અદાણી ટ્રાન્સમિશન સૌથી ઝડપી રિટર્ન આપવામાં ટોચ પર રહ્યું. તેણે વાર્ષિક 106% રિટર્ન આપ્યું. અદાણી ટ્રાન્સમિશનએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2,538 કરોડનો વધારો કર્યો છે, તે આ યાદીમાં ટોચના 10માં સ્થાન મેળવનારી એકમાત્ર કંપની બની છે.