Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateજન્મ - જન્મ નોંધણી બીલ લોકસભામાં પસાર…હવે જન્મનો દાખલો જ સરકારી તમામ...

જન્મ – જન્મ નોંધણી બીલ લોકસભામાં પસાર…હવે જન્મનો દાખલો જ સરકારી તમામ દસ્તાવેજોનો મહત્વનો ‘આધાર’ બની જશે…

Published By:-Bhavika Sasiya

  • હાલમાંજ લોકસભામાં જન્મ-મૃત્યુ નોંધણી બિલ પસાર થઇ જતા હવે દેશનો રિયલ જન્મ-મૃત્યુનો ડેટાબેઇઝ તૈયાર થશે..
  • હવે દેશમાં શાળા પ્રવેશ, મતદારયાદી, લગ્ન, પાસપોર્ટ, સરકારી નોકરી, જન્મનો દાખલો, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો માટે હવે જન્મનો દાખલો ફરજિયાત કરાશે.

આ બાબતે વિગતે જોતા લોકસભામાં જન્મ-મૃત્યુ નોંધણી બિલ પસાર થઈ ગયું છે. તેથી હવે આખા દેશનો રિયલ જન્મ-મૃત્યુનો ડેટાબેઇઝ તૈયાર થશે.જેથી હવે જન્મનો દાખલો જ સરકારી તમામ દસ્તાવેજોનો ‘આધાર’ બની જશે. આ બિલ કાયદો બનશે પછી શાળા પ્રવેશ, મતદારયાદી, લગ્ન, પાસપોર્ટ, સરકારી નોકરી, જન્મનો દાખલો, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો માટે હવે જન્મનો દાખલો ફરજિયાત કરાશે.

વધુ વિગતે જોતા લોકસભાએ જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969માં સુધારો કરવા માટે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ જૂના કાયદામાં અનેક સુધારા કરીને 26 જુલાઈના રોજ લોકસભામાં નવનિર્મિત જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ-2023 રજૂ કર્યું હતું. આ બિલ મંગળવારે ગૃહમાં ચર્ચા માટે આવ્યું હતું. ચર્ચા બાદ લોકસભાએ બિલને મંજૂરી આપી દીધી છે.

સુધારેલા બિલ અનુસાર, કોઈપણ પરિવારમાં નવા જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધાર ફરજિયાત હશે. જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 હેઠળ આધાર ફરજિયાત નથી. ઉપરાંત, જો નવો કાયદો અમલમાં આવે છે, તો રાજ્યોએ સમય સાથે નોંધાયેલા જન્મ અને મૃત્યુના ડેટાને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા સાથે શેર કરવો પડશે. હાલમાં, રાજ્યો દર વર્ષે આરજીઆઈને માત્ર વાર્ષિક આંકડાકીય અહેવાલો મોકલે છે.

જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969 મુજબ, જન્મ પ્રમાણપત્ર એ માત્ર વયનો પુરાવો છે. પરંતુ હવે આ વિધેયકમાં શાળા પ્રવેશ, મતદાર નોંધણી, લગ્ન, પાસપોર્ટ ઇસ્યુ અને સરકારી નોકરીની અરજી માટે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ છે.બીલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રએ જૂના કાયદામાં અનેક સુધારા કરીને 26 જુલાઈના રોજ લોકસભામાં નવનિર્મિત જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ-2023 રજૂ કર્યું હતું.
વધુમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વતી કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું. જ્યારે આ બિલ અમલમાં આવશે, ત્યારે જન્મ નોંધણી દરમિયાન માતા-પિતા અથવા વાલીનો આધાર નંબર જરૂરી રહેશે. ટેક્નોલોજી અને ડિજિટાઇઝેશનનો લાભ લેવા માટે, સરકારે ઇલેક્ટ્રોનિક નોંધણી અને જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોની ડિલિવરી માટેના બિલમાં કલમો સામેલ કરી છે, જેથી લોકો સુધી પહોંચવામાં સરળતા રહે.

વિધેયકનો એક મુખ્ય ઉદ્દેશ્ય નોંધાયેલ જન્મ અને મૃત્યુ માટે રાષ્ટ્રીય અને રાજ્ય-સ્તરના ડેટાબેઝની સ્થાપના કરવાનો છે. આ પહેલ અન્ય ડેટાબેસેસ માટે અપડેટ પ્રક્રિયાઓને વધારવાની, કાર્યક્ષમ અને પારદર્શક જાહેર સેવાઓને પ્રોત્સાહન આપવા અને સામાજિક લાભ પહોંચાડવાની અપેક્ષા છે.

સરકારી સેવાઓ અને બેંકિંગ સુવિધાઓ મેળવવા માટે આધાર જરૂરી છે. જન્મ અને મૃત્યુની નોંધણી માટે પણ ફરજિયાત રહેશે. ઉદાહરણ તરીકે, જન્મ દરમિયાન, જ્યારે તબીબી અધિકારી જન્મનો અહેવાલ આપે છે, ત્યારે માતાપિતા અને માહિતી આપનારના આધાર નંબર આપવાનું ફરજિયાત રહેશે.

નવા બીલથી શુ ફાયદાઓ થશે તેની વિગત જોતા જન્મ અને મૃત્યુનો કેન્દ્રિય ડેટાબેઝ તૈયાર થશે. ડેટાબેઝને અન્ય એજન્સીઓ સાથે શેર કરવાથી ડુપ્લિકેશન સહિતની ભૂલો મળશે. તેનો ઉદ્દેશ્ય તમામ તબીબી સંસ્થાઓ માટે રજિસ્ટ્રારને મૃત્યુના કારણનું પ્રમાણપત્ર અને નજીકના સંબંધીઓને તેની નકલ પ્રદાન કરવાનું ફરજિયાત બનાવવાનો છે.આ ઉપરાંત સરકારી યોજનાઓ માટે આધારભૂત ડેટાઓ પણ મળશે. ઉપરાંત અનેક દસ્તાવેજો માટે જન્મનો દાખલો ફરજિયાત બનાવવામાં આવતા નવા દસ્તાવેજો વિશ્વસનીય બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!