Published by : Vanshika Gor
ભારતીય સેનાના જવાન સંતોષ શેષનાદ યાદવ 19 ફેબ્રુઆરી વર્ષ 2022 ના રોજ જમ્મુ કાશ્મીર ખાતે ત્રાસવાદીઓ સાથે અથડામણમાં વીરગતિ પામ્યા હતા. તેમના બે દીકરીઓને સુરતના જ્વેલર્સ માલિક પ્રતાપભાઈ જીરાવાલાએ દત્તક લીધા છે. તેમના બે દીકરીઓની સ્કૂલની ફીસ તેમની દ્વારા ભરવામાં આવી છે.
રાષ્ટ્રીય રાયફલ બટાલિયનના 27 વર્ષીય સૈનિક સંતોષ યાદવ તારીખ 19 ફેબ્રુઆરી 2022 ના રોજ જમ્મુ કાશ્મીર ખાતે ત્રાસવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયા હતા. તેમની બે નાની દીકરીઓ છે જેમાંથી એક જાનવી ધોરણ એક માં ભણે છે જ્યારે બીજી દીકરી પલક બાળ મંદિરમાં છે.
વીર જવાન શહીદ સંતોષ યાદવની બંને દીકરીઓને દત્તક સુરતના અરિહંત જ્વેલર્સના માલિક પ્રતાપ વિરજીભાઈ જીરાવાલા લીધા છે. પ્રતાપભાઈએ જય જવાન નાગરિક સમિતિના સમર્પણ સમારોહમાં બંને દીકરીઓના શિક્ષણની જવાબદારી લેવાનો સંકલ્પ કર્યો હતો. આ અંગે પ્રતાપ જીરાવાલા એ જણાવ્યું હતું કે સુરત હંમેશા થી સૈનિકો અને તેમના પરિવાર સાથે છે અને તેમને ક્યારેય પણ ન લાગે કે તેઓ એકલા છે આ માટે સુરત હંમેશાથી તેમની મદદ માટે આગળ આવતું રહ્યું છે હું પણ મારા દેશના વીર જવાન ના પરિવાર સાથે જોડાઈ રહું આ ભાવનાથી શહીદ સંતોષે યાદવના વૃદ્ધપિતા ખેડૂત શેષનાથ યાદવ તથા તેમની પત્ની ધર્મશીલા યાદવ સાથે પરિવાર સુરતથી જોડાઈ રહે આ માટે બંને દીકરીઓને દત્તક લીધા છે..
અત્રે ઉલ્લેખનીય છે કે જે જવાન નાગરિક સમિતિ દેશભરમાં ભારતીય સેના અને તેમના પરિવાર માટે હંમેશાંથી તત્પર રહી છે વર્ષ 1999 થી આ સંસ્થા ભારતીય સેના માટે સમર્પણ ભાવનાથી શરૂ થઈ હતી. આ સંસ્થામાં ભારતીય સેના અને તેમના પરિવાર માટે લોકો સહાય અને સન્માન બંને અર્પણ કરે છે કુલ 23 વર્ષ દરમિયાન 379 વીર જવાનોના પરિવાર માટે 5.75 કરોડ રૂપિયાની સહાય આ સંસ્થા હેઠળ લોકોએ આપી છે.