Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarજયશ્રી કૃષ્ણ : આજે જન્માષ્ટમીએ કાનાનો 5250 મો જન્મદિવસ

જયશ્રી કૃષ્ણ : આજે જન્માષ્ટમીએ કાનાનો 5250 મો જન્મદિવસ

વિશ્વ વંદનીય, જગતગુરૂ લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખરેખર કઇ તિથિ અને ઇસુના કેલેન્ડર પ્રમાણે ઇસુના જન્મ પૂર્વે કઇ તારીખે થયો હતો, તેની ગણતરી પહેલીવાર કાશી સ્થિત વેદાન્ત પંડિત સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ કોમ્પ્યુટર, પુરાણો, શાસ્ત્રો અને મહાભારતના તલસ્પર્શી અભ્યાસ બાદ નક્કી કરી હતી. જે મુજબ આજે શુક્રવારે જન્માષ્ટમીએ કૃષ્ણનો 5250 મો જન્મોત્સવ આપણે, દેશ અને પુરી દુનિયા ઉજવી રહી છે.

સંશોધન અનુસાર કૃષ્ણ પૃથ્વીલોક પરથી વિદાય થયાને 5124 જેટલા વર્ષો થયાં છે. વારાણસીના જ્ઞાનાનંદ સરસ્વતીએ ભગવાન શ્રી કૃષ્ણની જન્મકુંડળી બનાવી છે તે પ્રમાણે કૃષ્ણ જન્મ ઇસ પૂર્વે તા 20-21 જુલાઈ 3228 ને રવિવાર-સોમવારે રાત્રે 12 વાગ્યે મથુરામાં થયો હતો. હિન્દુ પંચાગ પ્રમાણે ચૈત્રાદિ સંવત 3285 તથા શક સંવત 3150 સંવર્તસર ભાદ્રાપદ માસ કૃષ્ણ પક્ષ ઉદિત તિથિ સપ્તમીમાં રોહિણી નક્ષત્રમાં થયો હતો. પુરાણો અને શાસ્ત્રોના અભ્યાસ પછી કરવામાં આવેલી ગણતરી પ્રમાણે કૃષ્ણનો જન્મ સાતમા વૈવસ્વત મનવન્તરની 28મા દ્વાપરયુગના અંતિમ ચરણમાં 863874 વર્ષ ચાર માસ અને 22મા દિવસે શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીના રોજ થયો હતો.

રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો હતો

શ્રીકૃષ્ણના જન્મલગ્ન તથા રાશિ વૃષભ છે. રોહિણી નક્ષત્રમાં જન્મ હોવાથી સત્યમાં માનનારા, નિર્મળ હ્રદયવાળા અને લોકકલ્યાણ કરનારા હોય છે. જન્મલગ્નમાં ચંદ્ર હોવાથી અને લગ્ન પર શનિની દ્રષ્ટિ હોવાથી જાતકનો ચહેરો અત્યંત મોહક અને શ્યામવર્ણો થાય છે. છઠ્ઠાભાવના કારક બુધ પોતાના કારક ભાવથી બારમે રહેવાથી મોસાળનું સુખ પ્રાપ્ત થતું નથી. શ્રીમદ આદ્ય જગતગુરૂ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાનના અધ્યક્ષ સ્વામી જ્ઞાનાનંદ કહે છે કે, ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર 125 વર્ષ 7 મહિના અને 7 દિવસનું આયુષ્ય ભોગવ્યું હતું. તેમણે ઇસ પૂર્વે 3102ની 18મી ફેબ્રુઆરી ને શુક્રવારે 2 કલાક 7 મિનિટ અને 30 સેકન્ડે મહાપ્રસ્થાન કર્યું હતું. કૃષ્ણ જન્મની કાલ ગણના માટે જ્ઞાનાનંદે સ્કંદપુરાણના પ્રભાસ પર્વ ઉપરાંત ભાગવત પુરાણ, વિશ્ણુ પુરાણ, મત્સ્ય પુરાણ, ભૃગુ સંહિતા અને મહાભારત મૌસલ પર્વનો અભ્યાસ કર્યો હતો.

મહાભારતના યુદ્ધ સમયે ઉંમર 89 વર્ષની હતી

દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા પુરાણ પ્રસિદ્ધ સોમનાથ જ્યાં બિરાજે છે તેવા પ્રભાસ ક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ ક્ષેત્ર હરિ અને હરનું સંગમસ્થાન છે. ભગવાને પૃથ્વી પર 125 વર્ષ સુધી દિવ્ય લીલા કરી હતી. મહાભારત યુદ્ધના 36 વર્ષ બાદ તેમણે મહાપ્રસ્થાન કર્યું હતું. મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણની ઉંમર 89 વર્ષ 2 માસ અને 7 દિવસની હતી. મહાભારતના યુદ્ધ વખતે જે અપશુકનિયાળ યોગ સર્જાયો હતો તેવો યોગ 36 વર્ષ બાદ ફરીથી સર્જાયો ત્યારે ભગવાને દેહત્યાગ કર્યો હતો. શાસ્ત્રીક ગણનાંકો અને કોમ્પ્યુટર જેવા ઉપકરણોથી પ્રસ્થાપિત થયું છે કે કળિયુગનો પ્રારંભ 18મી ફેબ્રુઆરી 3103 થી થયો હતો.

વિષ્ણુ ભગવાનના અવતારો પૈકી કૃષ્ણ અવતાર ખૂબ મહત્વનો

હિન્દુ શાસ્ત્રોના મોટાભાગના ધર્મો અને સંપ્રદાયોમાં કૃષ્ણ ભગવાન તરીકે પૂજાય છે. તેમને જગદગુરૂ પણ કહેવામાં આવે છે. અત્યંત તેજસ્વી રાજા તરીકે તેમની છબી જોવા મળે છે. કૃષ્ણના દિવ્ય અવતાર, તેમના નટખટ બાળપણ અને યુવાવસ્થાની વાતો અનેક ગ્રંથોમાં જોવા મળે છે. દર વર્ષે આવતી જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન છે. ભગવાન વિષ્ણુએ અત્યાર સુધીમાં 23 અવતાર લીધા છે જેમાં કૃષ્ણ અવતાર ખૂબ મહત્વનો છે. કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. તેઓ માતા દેવકી અને પિતા વાસુદેવનું આઠમું સંતાન હતા. મામા કંસ કૃષ્ણને મારી નાંખશે તેવા ડરથી કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢી વાસુદેવ તેમના મિત્ર નંદલાલના ઘરે ગોકુળમાં મૂકી આવ્યા હતા. કંસ એ છ બાળકોને મારી નાંખ્યા હતા પરંતુ સાતમું સંતાન દિકરીના રૂપે માતા દુર્ગા હતા. કંસના હાથમાંથી છટકીને તેઓ આકાશમાં પ્રગટ થયા હતા અને કંસને કહ્યું હતું કે તારો કાળ પ્રગટ થઇ ગયો છે. આ દેવી દુર્ગા પુરાણ અનુસાર નંદા તરીકે ઓળખાય છે.

ગાંધારીએ શ્રીકૃષ્ણને આપ્યો હતો શ્રાપ અને યાદવોનો થયો નાશ

મહાભારત મુજબ, કુરુક્ષેત્ર યુદ્ધમાં ગાંધારીના તમામ 100 પુત્રો મૃત્યુ પામ્યા હતા. દુર્યોધનના મૃત્યુ પહેલાંની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાને ગાંધારીની મુલાકાત લીધી હતી અને સમજાવ્યા હતા પરંતુ ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે તેમની સાથે સમસ્ત યાદવોનો વિનાશ થશે. કૃષ્ણ પોતે જાણતા હતા કે યાદવો ભવિષ્યમાં અભિમાની અને અધર્મી, ઘમંડી બની જશે જેથી તેઓએ તથાસ્તુ કહેતાં ગાંધારીના ભાષણનો અંત આવ્યો હતો. શ્રીમદ્ ભાગવતમ્ અનુસાર ઋષિ દુર્વાસા સાથે યાદવ બાળકોએ મજાકમાં નાટક કર્યું હતું તેના પરીણામે તેમણે તમારો સમગ્ર સમુદાય મૃત્યુ પામે એવો શ્રાપ આપ્યો હતો.

કૃષ્ણને બાણ મારનાર શિકારી હતો વાલી

મહાભારતના 36 વર્ષ પછી, કોઈ પણ લડત વગર યાદવોનો નાશ થયો. યાદવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યુ હતું. કૃષ્ણના મોટાભાઇ બલરામે તો યોગની મદદથી પોતાનું શરીર છોડી દીધું હતું. જ્યારે કૃષ્ણએ જંગલમાં એક વૃક્ષ હેઠળ ધ્યાન શરૂ કર્યું ત્યારે એક શિકારીનું તીર તેમના ડાબા પગમાં લાગતા તે સમયે તેમનું મૃત્યુ થયું હતું. આ સ્થળ આજે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે, જે ગુજરાતમાં સોમનાથની નજીક આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એ શિકારી રામાવતારના સુગ્રીવનો ભાઇ વાલી હતો. શ્રી રામ અવતારમાં કૃષ્ણએ વાલીનો વધ છળથી કર્યો હતો આથી વાલીએ વરદાન માગ્યું હતું કે, દ્વાપરમાં પોતાના હાથે કૃષ્ણનું મૃત્યુ થાય. ભાગવત મહાપુરાણમાં જણાવ્યા મુજબ જે સમયે કૃષ્ણએ આ પૃથ્વી છોડી તે ઘડીએ જ દ્વાપર યુગનો અંત અને કળિયુગનો પ્રારંભ થયો હતો. મહાભારત પછી, પાંડવોએ 35 વર્ષ શાસન કર્યુ હતું.અને શ્રી કૃષ્ણના મૃત્યુ પછી, તેઓએ પણ તરત જ તેમના શરીરનો ત્યાગ કરી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!