Home News Update Health જાણો ચંદ્ર નમસ્કાર ના  શારિરીક-માનસિક ફાયદા…

જાણો ચંદ્ર નમસ્કાર ના  શારિરીક-માનસિક ફાયદા…

0

Published By:-Bhavika Sasiya

  • સૂર્ય નમસ્કારના આપણે અનેક ફાયદા અને તેનાથી થનારા લાભ વિશે સાંભળ્યુ છે. તેવી જ રીતે જાનો ચંદ્ર નમસ્કારના લાભ…

ચંદ્ર નમસ્કાર જે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. આ  યોગ કરવાથી શરીર એકદમ ઠંડુ રહે છે. તમને એનર્જેટિક રાખે છે. સાથે જ તમને આ શાંત, આરામ અને ક્રીએટિવ રાખે છે. ચંદ્ર નમસ્કાર કરવાથી કરોડરજ્જુ, હેમસ્ટ્રિંગ અને પગના પાછલા ભાગો મજબૂત બને છે. માત્ર એટલુ જ નહીં આ પગ, હાથ, પીઠ અને માંસપેશીઓને મજબૂત બનાવે છે.

સૂર્ય નમસ્કારની તુલનામાં ચંદ્ર નમસ્કારને વધુ કોમળ અને શાંત કરનારો અભ્યાસ માનવામાં આવે છે. આમાં શાંત, આરામ અને રચનાત્મક ગુણ છે અને તે મનને પણ શાંત કરે છે. ચંદ્ર નમસ્કાર કરવાથી તણાવ હંમેશા દૂર રહે છે. તમારુ મન શાંત રહે છે.

એક રિપોર્ટ અનુસાર  ચંદ્ર નમસ્કાર કરવા થી અનેક બીમારી સામે રક્ષણ મળે છે. ગરમીમાં ચંદ્ર નમસ્કાર એટલા માટે જરૂરી હોય છે કેમ કે આ તમારા શરીરને ઠંડુ રાખે છે. ચંદ્ર નમસ્કાર સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે. તમે લાંબા શ્વાસની પેટર્ન સાથે ધીમે ધીમે અને સભાનપણે સાત રાઉન્ડ પ્રેક્ટિસ કરી શકો છો. યોગ પ્રવાહ બધા સ્નાયુ જૂથોને ખેંચે છે અને મજબૂત બનાવે છે. લવચીકતામાં મદદ કરે છે, અને શ્વાસની પેટર્નને વધારે છે અને પાચન તંત્રની કામગીરી અને સંતુલન વધારે છે. આપણા શરીરના તાપમાનને ઠંડુ કરે છે. આ તમને આંતરિક રીતે સુંદર, શાંત અને ઠંડુ રાખે છે. યોગ કરવાથી જ ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓથી છુટકારો મળે છે. માણસના શરીર માટે યોગ અસરદાર અને નેચરલ સારવાર છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version