Wednesday, September 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthજાણો તુલસીના ફાયદા : તેના પાન જ નહિ લાકડીઓ પણ ગુણોથી છે...

જાણો તુલસીના ફાયદા : તેના પાન જ નહિ લાકડીઓ પણ ગુણોથી છે ભરપૂર…

Published By : Disha PJB

તુલસી એક એવો છોડ છે જે સામન્ય રીતે દરેકના ઘરમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્ત્વ ધરાવે છે. આ ઘણા સમયથી વિભિન્ન આયુર્વેદિક દવાઓ બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જડી-બૂટ્ટીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.

તુલસીમાં ઝીન્ક અને વિટામિન સી હોય છે જે તેને પ્રાકૃતિક ઇમ્યૂનિટી બૂસ્ટર બનાવે છે. તેમાં એન્ટી-બેક્ટીરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-વાયરલ ગુણ પણ હોય છે. તુલસીનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતાને પ્રોત્સાહન મળે છે. 

શરદી, ખાંસી અને તાવથી રાહત :

વાતાવરણમાં ફેરફાર થવાની સાથે આપણામાંથી ઘણા લોકો બીમાર થઇ જાય છે અને શરદી, ખાંસી અને તાવથી પરેશાન હોય છે. તુલસીમાં યૂઝેનૉલ હોય છે જે શરદી, ખાંસી અને તાવને ઓછું કરવામાં મદદ કરે છે. 

એન્ટી કેન્સર ગુણ :

તુલસીમાં ફાઇટોકેમિકલ્સ રહેલાં હોય છે જે ફેફસાં, યકૃત, મૌખિક અને ત્વચાના કેન્સરને અટકાવવા માટે ઓળખાય છે. 

બ્લડ પ્રેશરને ઘટાડે છે :

હાઇ બ્લડ પ્રેશર સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે જેનો આજે મહિલાઓ સામનો કરી રહી છે. તુલસીમાં એવા તત્ત્વ હોય છે જે શરીરમાં સોજો અને બ્લડપ્રેશરને ઘટાડે છે. 

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે :

તુલસીમાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે જે સ્ટ્રોક અને હાઇ બ્લડપ્રેશર જેમ કે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!