Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAAPજાસૂસી પ્રકરણ અંગે દિલ્હીની આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો...

જાસૂસી પ્રકરણ અંગે દિલ્હીની આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો…

Published By : Patel Shital

  • કોંગ્રેસના ધારાસભ્યોનો સ્ફોટક પત્ર…
  • દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પણ જાસૂસી પ્રકરણ અંગે ઘેરા સંકટમાં…
  • AAPના જાસૂસી કેસમાં NIA દાખલ થશે તેવી શક્યતા…
  • કોંગ્રેસની માંગ પર એલજીની કાર્યવાહી…

દારૂ કૌભાંડમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટી સરકારની મુશ્કેલીઓ પણ કથિત ‘જાસૂસ કૌભાંડ’ના કારણે વધી શકે છે. કોંગ્રેસ પાર્ટી ફીડબેક યુનિટ FBU દ્વારા રાજકારણીઓ પર જાસૂસી કરવાના આરોપોની NIA દ્વારા તપાસ કરવા માંગ કરેલ છે.  કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત, પૂર્વ મંત્રીઓ મંગત રામ અને કિરણ વાલિયાએ એલજી વી કે સક્સેનાને UAPA હેઠળ NIA દ્વારા તપાસની માંગણી કરવા જણાવ્યું છે. તે સાથે  એલજીએ તેને મુખ્ય સચિવને મોકલીને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. દિલ્હી સ્થિત એલજી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત અને પૂર્વ મંત્રી મંગત રામ સિંઘલ, પ્રોફેસર કિરણ વાલિયાએ NIA પાસે UAPA હેઠળ જાસૂસી કેસની તપાસ કરવાની માંગ કરી છે. આના પર, લેફ્ટનન્ટ ગવર્નરના સચિવાલયે મુખ્ય સચિવ, GNCTD ને ફેસબુક યુનિટ દ્વારા જાસૂસીના આરોપો અંગે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

જો કે દિલ્હીના કથિત જાસૂસી કેસમાં CBI તપાસને પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે થોડા સમય પહેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે રચાયેલ ફીડબેક યુનિટ FBU દ્વારા રાજકારણીઓની કથિત રીતે જાસૂસી કરવા બદલ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કેસ નોંધવા CBI ને મંજૂરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!