Home Bharuch જીવનના ઘડતર માટે દિશા આપનાર બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ માહોલ મા પ્રારંભ…

જીવનના ઘડતર માટે દિશા આપનાર બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ માહોલ મા પ્રારંભ…

0

Published by : Vanshika Gor

  • જિલ્લામાં એસ.એસ.સી.માં કુલ -24211 વિધાર્થીઓ માટે 32 પરીક્ષા કેન્દ્રો…
  • -પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓ ને ગુલાબ આપી મો મીઠું કરાવી આવકાર અપાયો……
  • -જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણાધિકારી તેમજ ભાજપ અગ્રણીઓ એ પરીક્ષાર્થીઓ ને શુભેચ્છા પાઠવી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધી નગર દ્વારા લેવાનારી બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ-10 માં કુલ 24211 પરિક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ-10 નાં 32 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ રહી છે, જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો CCTV થી સજ્જ કરી દેવાયા છે. તો વહેલી સવારથી તંત્ર દ્વારા સિલ બંધ રીતે પ્રશ્નોપત્ર સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને પરીક્ષાના પ્રારંભ સાથે પ્રશ્નોપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓ નો જમાવડો જોવા મળતો હતો.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો..પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર ગુલાબ આપી મો મીઠું કરાવી જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોશી, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ વસાવા,તેમજ પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને અન્ય ભાજપ અગ્રણીઓ શુભેચ્છા સાથે આવકાર્યા હતા.વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version