Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateજીવનમાં આટલી વસ્તુને પગ ન અડે તેનું ધ્યાન રાખજો, નહીંતર આવી પડશે...

જીવનમાં આટલી વસ્તુને પગ ન અડે તેનું ધ્યાન રાખજો, નહીંતર આવી પડશે આફત!

આચાર્ય ચાણક્યના (Chanakya)વિચારોને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચાણક્યના વિચારોનું પાલન કરવાથી જીવન સુખી બનાવી શકાય છે. તેમજ જીવનમાં શાંતિ અને સફળતાનો માર્ગ પણ મળી શકે છે. ચાણક્યએ અનેક શાસ્ત્રોની રચના કરી હતી, જેને લોકો આજે પણ અનુસરી રહ્યા છે. તેમની નીતિઓમાં (Chanakya Niti)તેમણે વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગ વિશે જણાવ્યું છે. આ સાથે જ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી (Chankya Niti for Life) કેટલીક બાબતો પણ સમજાવી છે.

આચાર્ય ચાણક્યએ કઈ વસ્તુઓ પર પગ મૂકવો મુશ્કેલી સર્જી શકે છે, તે બાબતે પણ જાણકારી આપી છે. કેટલીક વસ્તુઓ પર પગ મૂકવાથી વ્યક્તિનું જીવન બરબાદી તરફ જવા લાગે છે.

અગ્નિ- આચાર્ય ચાણક્ય કહે છે કે અગ્નિને પગ મૂકવો અશુભ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં અગ્નિ દેવતાની પૂજા કરવામાં આવે છે. શુભ કાર્યોમાં અગ્નિની આરાધના કરવામાં આવે છે.અને તેને સાક્ષી ગણવામાં આવે છે. તેથી તેને પગ લગાડવાથી અશુભ ફળ મળે છે.

વડીલો- વડીલ-વૃદ્ધોનું સન્માન કરવું એ આપની સંસ્કૃતિ છે. તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ. પરંતુ ભૂલથી પણ પગ ન અડવો જોઈએ. એવું કહેવાય છે કે તેમના પર પગ મૂકવાથી પાપ લાગે છે. ચાણક્ય કહે છે કે જે ઘરમાં વડીલોનું સન્માન નથી થતું ત્યાં ક્યારેય સુખ-સમૃદ્ધિ નથી આવતી. આવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ પણ નથી થતો અને દેવી ક્રોધિત થઈને જતા રહે છે.

ગુરુ- ધાર્મિક ગ્રંથોમાં ગુરુને માતા-પિતાથી ઉપર સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ગુરુઓનો અનાદર ભગવાનનો અનાદર માનવામાં આવે છે. ચાણક્યના કહેવા અનુસાર, વ્યક્તિએ હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા જોઈએ. કહેવાય છે કે, કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગુરુઓના આશીર્વાદ લેવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે.

કન્યા – હિન્દુ ધર્મમાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચાણક્યનીતિ પ્રમાણે કોઈ કન્યાને પગથી સ્પર્શ કરવો અથવા તેના પગ લગાવવો એ દેવી પર પગ મૂકવા સમાન છે. જો ભૂલથી કોઈ કન્યાના પગને સ્પર્શ થઇ જાય, તો તરત જ માફી માંગો. આમ ન કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

ગાય– ગાયનું હિન્દુ ધર્મમાં પૂજનીય સ્થાન છે. ગાય પર પગ મુકવાથી વ્યક્તિ પાપનો સહભાગી બને છે. જ્યારે ગાય ઘરની બહાર આવે ત્યારે તેને મારીને ભગાડી ન દો, તેના બદલે તેને રોટલી આપો અને ગાયના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ મેળવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!