Published By:-Bhavika Sasiya
ઝઘડીયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રંદેરી ગામ ખાતેના ચેક ડેમમાં કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મૃત્યુ નિપજયા હોવાની ઘટના સામે આવી છે.

રંદેરી ગામ નજીક આવેલ ચેક ડેમમાં થી આસપાસના ગામનાં લોકો પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે. નજીકમાં આવેલ કેમિકલ કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવતાં તળાવનું પાણી પ્રદુષિત થવાની સાથે માછલાઓના મોતથી ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. તળાવમાંથી સિંચાઇ માટે પાણી લેવાય છે, જ્યારે ઢોર ધાખર પણ આ ચેકડેમ માંથી પાણી પીતા હોય છે અને ગામનાં લોકો ન્હાવા ધોવામાં પાણી ઉપયોગ કરે છે તેવામાં કંપની દ્વારા છોડવામાં આવેલ કેમિકલ જોખમી સાબિત થઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવી બેજવાબદાર કંપની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.